Limbdi Highway Accident | રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોની શ્રેણી સતત ચાલુ રહી છે. લીમડી નજીક આવેલા કટારીયા ચેકપોસ્ટ પાસે સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં રાજકોટના 75 વર્ષીય આધેડ નરસિંહભાઈ વાડોલીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.
નરસિંહભાઈ વર્ષોથી અખબાર છાપવાના મશીન રીપેરીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેઓ અમદાવાદ ખાતે અખબારનું મશીન રિપેર કરીને પોતાની સ્વિફ્ટ કારમાં પરત રાજકોટ તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન કટારીયા બોર્ડ નજીક ટ્રક અને ટ્રાવેલ્સને ઓવરટેક કરવા જતાં તેમની કાર ટ્રક સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર નરસિંહભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ઘટનાની જાણ થતાં જ લીમડી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…