Limbdi

લીંબડીમાં LCBના દરોડા, જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા: 55,080ની રોકડ જપ્ત

સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પ્રોહીબિશન અને જુગાર જેવી બદીઓને નાથવા ખાસ એક્શન પ્લાન હેઠળ LCB સુરેન્દ્રનગર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

LCB ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબડી ભલગામડા ગેઇટ પાસે આવેલ ભીલપરામાં જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં (૧) પ્રહલાદભાઇ રૂપાભાઈ બુટીયા, (૨) ગૌરવભાઇ વસંતભાઇ લકુમ, (૩) જાવેદભાઇ મેહમુદભાઇ બેલીમ, (૪) શંકરભાઇ નવીનભાઇ બુટીયા (તમામ રહે. લીંબડી), (૫) મહિપતભાઇ તેજાભાઇ મંદુરીયા અને (૬) ગભાભાઇ ભીખાભાઇ મંદુરીયા (બંને રહે. બોરણા, તા. લીંબડી) નો સમાવેશ થાય છે.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂા. ૧૫,૦૮૦, ચાર મોબાઇલ ફોન કિં. રૂ. ૨૦,૦૦૦, એક મોટરસાયકલ કિં. રૂ. ૨૦,૦૦૦ અને ગંજીપાના નંગ-૫૨ મળી કુલ કિંમત રૂા. ૫૫,૦૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તમામ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ LCB સુરેન્દ્રનગર દ્વારા આ ગણનાપાત્ર કેસ નોંધ્યો છે.

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago