સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના અભિયાનના ભાગરૂપે, LCB સુરેન્દ્રનગરની ટીમે છેલ્લા પાંચ વર્ષથી ‘ખૂનની કોશિશ’ ના ગુંન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી લીધો છે. LCB સ્ટાફના એ.એસ.આઇ. અસ્લમખાન અયુબખાન મલેકને હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે યુવરાજસિંહ ઉર્ફે પપ્પુભાઇ મહેન્દ્રસિંહ ઝાલા (ઉં.વ. ૪૨, રહે. મયુરભવન, નરશીપરા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રા સિટી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ઝડપાયેલ શખ્સ યુવરાજસિંહ ઝાલા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ખૂનની કોશિશ અને અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો. ઝડપાયેલ ઈસમ નિવૃત્ત આર્મીમેન ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.LCB દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી શખ્સનો કબજો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…