Categories: Uncategorized

પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી દબોચ્યો

સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના અભિયાનના ભાગરૂપે, LCB સુરેન્દ્રનગરની ટીમે છેલ્લા પાંચ વર્ષથી ‘ખૂનની કોશિશ’ ના ગુંન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી લીધો છે. LCB સ્ટાફના એ.એસ.આઇ. અસ્લમખાન અયુબખાન મલેકને હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે યુવરાજસિંહ ઉર્ફે પપ્પુભાઇ મહેન્દ્રસિંહ ઝાલા (ઉં.વ. ૪૨, રહે. મયુરભવન, નરશીપરા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રા સિટી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ઝડપાયેલ શખ્સ યુવરાજસિંહ ઝાલા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ખૂનની કોશિશ અને અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો. ઝડપાયેલ ઈસમ નિવૃત્ત આર્મીમેન ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.LCB દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી શખ્સનો કબજો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago