Lakhtar

લખતરના કડુ ગામે શક્તિ માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ: ગ્રામજનોએ એક શખ્સને રંગેહાથ ઝડપ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. છકડો રિક્ષા લઈને આવેલા 2 શખ્સો પૈકી એક શખ્સે મંદિરમાં પ્રવેશ કરી પિત્તળના વાસણો અને અન્ય ચીજવસ્તુઓની ચોરી (Theft) કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પુજારીના પત્નીની સતર્કતા અને ગ્રામજનોની ત્વરિત કાર્યવાહીને કારણે એક શખ્સ ઝડપાઈ ગયો હતો.

ઘટનાની વિગતો મુજબ, જ્યારે ચોર મંદિરમાં પિત્તળની વસ્તુઓ ચોરી રહ્યો હતો, ત્યારે પુજારીના પત્નીએ તેને જોઈ લીધો હતો અને તુરંત પુજારી જયરાજભાઈ ગોસ્વામીને જાણ કરી હતી. પુજારીએ ગ્રામજનોને ફોન કરતા ગામના લોકો તાત્કાલિક મંદિર (Temple) ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ એક ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો, જ્યારે તેનો અન્ય એક સાથીદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

કડુ ગામના સરપંચ અને ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા લખતર પોલીસ (Lakhtar Police) ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચોરી કરનાર શખ્સને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે અને નાસી છૂટેલા બીજા શખ્સને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મંદિરમાં ધોળા દિવસે થયેલા આ હિંમતભર્યા ચોરીના પ્રયાસથી વિસ્તારમાં સુરક્ષા અંગે ચર્ચા જાગી છે.

user 2

Share
Published by
user 2

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago