સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતું વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે સ્થાનિકો અને વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગરથી મૂળી તરફ જતા હાઈવે પર શેખપર જીઆઈડીસી (Shekhpar GIDC) વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા ચીમનીઓ વાટે કેમિકલયુક્ત ઝેરી ધુમાડો હવામાં છોડવામાં આવી રહ્યો છે, જેના કારણે આકાશમાં ધુમાડાના કાળા પડ જામી ગયા છે.
સ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને (Commuters) ઝેરી હવાથી બચવા માટે મોઢે રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કેમિકલયુક્ત ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ વધી રહી છે. ઉદ્યોગકારો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board) ની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે. હાઈવે પરથી પસાર થતા નાગરિકો પૂછી રહ્યા છે કે પ્રદૂષણ ફેલાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? વાતાવરણમાં સતત વધી રહેલા આ ઘાતક વાયુ પ્રદૂષણને રોકવામાં જો તંત્ર નિષ્ફળ રહેશે તો આગામી સમયમાં ગંભીર બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…