સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતું વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે સ્થાનિકો અને વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગરથી મૂળી તરફ જતા હાઈવે પર શેખપર જીઆઈડીસી (Shekhpar GIDC) વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા ચીમનીઓ વાટે કેમિકલયુક્ત ઝેરી ધુમાડો હવામાં છોડવામાં આવી રહ્યો છે, જેના કારણે આકાશમાં ધુમાડાના કાળા પડ જામી ગયા છે.
સ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને (Commuters) ઝેરી હવાથી બચવા માટે મોઢે રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, કેમિકલયુક્ત ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ વધી રહી છે. ઉદ્યોગકારો દ્વારા પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board) ની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે. હાઈવે પરથી પસાર થતા નાગરિકો પૂછી રહ્યા છે કે પ્રદૂષણ ફેલાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? વાતાવરણમાં સતત વધી રહેલા આ ઘાતક વાયુ પ્રદૂષણને રોકવામાં જો તંત્ર નિષ્ફળ રહેશે તો આગામી સમયમાં ગંભીર બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…