Chuda

ચુડા: ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા

Jobala Gambling Raid | ચુડા તાલુકાના જોબાળા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી ૧૩ શખ્સને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ચુડા તાલુકાના જોબાળા ગામમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે ચુડાના જોબાળા ગામે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) ઇશ્વરભાઇ ભગવાનભાઈ દાસોડીયા (૨) અજયભાઈ ઘનશ્યામભાઈ શેખ (૩) રસિકભાઈ શામજીભાઈ શેખ (૪) આકાશભાઈ બહાદુરભાઈ ચેખલિયા (૫) રવિભાઈ નટુભાઈ વડોદરિયા (૬) વિપુલભાઈ નારાયણભાઈ ઘોળકીયા (૭) વશરામભાઈ લાલજીભાઈ ભલાડા (૮) વિકાસભાઈ બહાદુરભાઇ ચેખલિયા (૯) રાજુભાઈ ઘનશ્યામભાઈ ડાભી (૧૦) જીગ્નેશભાઈ રાયસંગભાઈ પરમાર (૧૧) રાકેશભાઈ દલસુખભાઈ શેખ (૧૨) બળદેવભાઈ મનસુખભાઈ ધલવાણીયા અને (૧૩) અશોકભાઈ તળશીભાઈ કલવાણીયાને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ.૪૪,૫૧૦, ૧૨-મોબાઇલ કિં.રૂ.૫૫,૫૦૦, બાઈક કિંમત રૂ.૧૫,૦૦૦ સહિત ફૂલ રૂ.૧,૧૫,૦૧૦ના મુદામાલ સાથે ઝડપી ચુડા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીની ટીમે ગામમાં રેડ (Raid) કરીને આટલા મોટા પ્રમાણમાં જુગારીઓને ઝડપ્યા, ત્યારે સ્થાનિક ચુડા પોલીસ (Chuda Police) ને આ અંગે કોઈ જાણ ન હોવાથી તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસે તમામ 13 શખ્સો વિરુદ્ધ જુગારધારા (Gambling Act) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago