Janmashtami Limbdi Shobhayatra | લીંબડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી (Janmashtami)ની 43મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
શોભાયાત્રાના ભાગરૂપે પરિષદના બકુલભાઈ ખાખી અને સ્વયંસેવકો દ્વારકાથી ભગવાન દ્વારકાધીશની દિવ્ય અને અખંડ જ્યોત લીંબડી શહેરમાં લાવ્યા છે.
પવિત્ર જ્યોતના આ ગૌરવપૂર્ણ આગમનથી સમગ્ર શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આ અખંડ જ્યોત જન્માષ્ટમી સુધી દર્શનાર્થે ભાવિકોના ઘરે લઈ જવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આ દિવ્ય જ્યોતને શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષક ફ્લોટ્સ સાથે ફેરવીને શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ અપાશે. જ્યોતના સ્વાગત અને દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…