Limbdi

લીંબડી: પઠાણી ઉઘરાણી મામલે જીરાના વેપારીએ દવા પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

લીંબડી તાલુકાના બોરણા ગામે જીરા લે વેચના વેપારીએ જીરા અને ખરીદી કર્યા બાદ ભાવ ઘટી જતા દેણા માં આવી ગયો..

વ્યાજે રૂપિયા લીધા અને પોતાની તમામ મિલકતનું વેચાણ કરી નાખ્યું તે છતાં પણ તેનું ન ભરાતા અંતે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો કર્યો પ્રયાસ..

18 લોકો નો સતત ત્રાસ હોવાનો પણ પોલીસ સમક્ષ રજૂઆત દરમિયાન કર્યો ઉલ્લેખ..

ખેડૂતની ભાષામાં જીરું એક જુગાર છે વાવેતર સમયે પણ અને ત્યારબાદ ઉત્પાદન પછી પણ પૂરતા ભાવ મળે કે ન મળે તે એક ખેડૂતોના મનમાં કાયમ માટે સવાલ રહેતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરણા ગામના જીરાના વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે લીંબડી ગામના બોરણા માં વસવાટ કરતાં કોષીયા રમેશભાઇ નામના જીરાના વેપારીએ ઝેરી દવા પી લઈ અને જીવન ટુંકવવાનો પ્રયાસ કર્યો છે જોકે તેમને હાલ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

ઊંચા ભાવે જીરાની ખરીદી કર્યા બાદ જીરા નું બજાર બેસી ગયું અને વેપારીને ન છૂટકે નીચા ભાવે જીરાનું વેચાણ કરવું પડ્યું જેને લઇને બોરણા ગામના વેપારીને દેવું થઈ ગયું દેવુ ભરવા માટે વેપારી દ્વારા 06 ઈસમો પાસેથી ઉછીતા નાણાં લેવામાં આવ્યા અને તે છતાં પણ દેવાનું ન ભરાયું વેપારી દ્વારા સાત ઇસમો પાસેથી અંદાજિત 17 લાખથી વધુની રકમ ઉછીતી લેવામાં આવી પરંતુ તે છતાં પણ ન ભરાતા પોતાની વારસાઈમાં મળેલી મિલકત પણ વેચાણ કરી અને દેણું ભરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે છતાં પણ તેનું ન ભરાતા અંતે ઝેરી દવા પી લઈ અને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે.

ખેડૂતો પાસેથી મોંઘી કિંમતમાં જીરાની ખરીદી કરી લેવામાં આવી હતી ત્યારબાદ અચાનક જીરાની બજાર ગગડી જતા બેણું થઈ ગયા હોવાનું સામે આવ્યું છે વેપારી દ્વારા 30.80 લાખની ચુકવણી કરી દેવામાં આવી હોવાનો ઉલ્લેખ પોલીસ સમક્ષ કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે વેપારી છેલ્લા છ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં સંતાઈ અને રહેતો હતો અંતે કંટાળી જઈ અને ઝેરી દવા પીવાનું પગલું ભર્યું છે અને પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ પોલીસ સમક્ષ 18 લોકોના નામો આપવામાં આવ્યા છે જેમાં 11 જેટલા ખેડૂતો હોવાનું પણ સામે આવ્યું છે.

હાલમાં આ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે જામડી વસ્તડી તેમજ અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પાસેથી રૂપિયા ઉછીતા લેવામાં આવ્યા હતા કોઈ પાસેથી જીરુ ખરીદી કરવામાં આવ્યું હતું અને પૈસા ચૂકવવા માટે વેપારી અસમર્થ નિવડ્યો હતો અને અંતે કંટાળી જઈ અને પઠાણી ઉઘરાણીના ત્રાસથી તેણે દવા પી લે અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

◆ વેપારી દ્વારા 18 લોકો સામે ફરિયાદ દાખલ કરવા લેખિત અરજી કરવામાં આવી જેમાં 06 ઇસમો પાસેથી ઉછીના રૂપિયા લેવામાં આવ્યા તે છતાં પણ ન ભરાયુ દેવું

લીમડી તાલુકાના બોરણા ગામે વસવાટ કરતા રમેશ કોશિયા દ્વારા ઝેરી દવા પી લે અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં બળવતસંગ ગોહિલ રાઠોડ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર મહિપતસિંહ મનુભા સિંધવ રાજુભાઈ ગેલાભાઈ ભોચિયા હકાભાઇ દેવાભાઈ લોલાડીયા ચંદુભાઈ લક્ષ્મણભાઈ પાસેથી હાથ ઉંચીતા રૂપિયા લેવામાં આવ્યા હતા 17 લાખથી વધુ ની રકમ હાથ ઊંચેથી લેવામાં આવી તે છતાં પણ દેવું ન ભરાતા અંતે દવા પી લેવામાં આવી છે ત્યારે રાઠોડ દિલીપસિંહ સિંધવ રાજુભાઈ સિંધવ ભીખુભાઈ ગોહિલ પ્રવીણભાઈ ગોહિલ લાલુભાઈ ઘાઘરેટીયા દિનેશભાઈ લોલડીયા ધર્મેન્દ્રભાઈ લોલડીયા ગણપતભાઈ ભોચિયા આકાશભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ ગળથરા રમેશભાઈ અને ગોહિલ ભીખુભાઈ ના નામ લખી અને ઝેરી દવા પી લઈ અને આત્મ હત્યાના પ્રયાસ કર્યો છે હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago