સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની અછત હોવાની ખોટી અફવા ફેલાતા ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો છે. શહેરમાં કાર્યરત 3 ઇન્ડિયન ઓઇલ અને 1 ભારત પેટ્રોલિયમ એજન્સી મળી કુલ 65,000થી વધુ કનેક્શન છે. સામાન્ય રીતે રોજના 1500થી 1600 સિલિન્ડરની માંગ સામે હાલ બુકિંગમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.
લોકો ગભરાટમાં આવીને જરૂરિયાત વગર સંગ્રહખોરી કરી રહ્યા હોવાથી દરરોજ અંદાજે 400 જેટલા નવા બુકિંગ વધી રહ્યા છે. આ અચાનક આવેલા ઉછાળાને પહોંચી વળવા એજન્સીઓ પાસે પૂરતા ડિલવરી મેન ન હોવાથી વિતરણમાં વિલંબ થઈ રહ્યો છે અને કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે.
મિસ્ડ કોલ દ્વારા થતા બુકિંગના સર્વરમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા લોકોમાં ડર બેસી ગયો હતો કે ગેસ મળશે નહીં, જેના પરિણામે એજન્સીઓની ઓફિસ પર લાંબી કતારો જોવા મળી હતી. ગેસ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે સ્ટોકની કોઈ અછત નથી.
જો મિસ્ડ કોલ સર્વરમાં સમસ્યા હોય, તો ગ્રાહકો ફોન પે અથવા ગૂગલ પે જેવા ડિજિટલ માધ્યમોથી પણ બુકિંગ કરી શકે છે. એજન્સીઓએ નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા વિનંતી કરી છે, જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકોને સમયસર ગેસ મળી શકે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…