Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રકારના કેન્સર પીડીતો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રકારના કેન્સર પીડીતો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

પ્રજાને સુવિધાઓ આપવામા ધારાસભ્ય અવ્વલ રહ્યા સાથોસાથ આરોગ્યની પણ ચિંતા કરી

સુરેન્દ્રનગર : મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ અને અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાના સહયોગથી નિ:શુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં 250થી વધુ બહેનો અને ભાઈઓએ કેન્સરની તપાસ માટે એડવાન્સ રજીસ્ટ્રેશન અને સ્થળ પર આવીને નામ લખાવીને ચેકઅપ કરાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ કેન્સર હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નિષ્ણાંત ડોક્ટરોની ટીમે આ કેમ્પમાં દર્દીઓ ને તપાસ્યા હતા.

કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને નિ:શુલ્ક તપાસ ઉપલબ્ધ કરાવવાનો હતો જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ કે કેન્સરના દર્દી જેવું લક્ષણ જણાશે, તો તેમને અમદાવાદ ખાતે આયુષ્માન કાર્ડના માધ્યમથી નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ડૉ. શશાંક પંડ્યા અને તેમની સમગ્ર ટીમને સુરેન્દ્રનગર જિલ્લાને પસંદ કરીને આ કેન્સરનો નિ:શુલ્ક કેમ્પ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો છે.

આર.ટી.ઈ કેમ્પમાં જિલ્લાના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલ, એસ.પી. પ્રેમસુખ ડેલુ, કમિશનર નવનાથ ગવ્હાણે મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા તેમજ પાર્ટીના સૌ પદાધિઑકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago