Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં પ્રથમ રાજ્ય કક્ષાની ગુનાહિત પરિષદ યોજાઈ: વ્યાજખોર ખાણકામ માફિયાઓ સામે યાદી બનાવીને કાર્યવાહી કરવામાં આવશે

સુરેન્દ્રનગરમા પ્રથમવાર રાજયકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ:વ્યાજખોર ખનનમાફીયાઓ ની યાદી બનાવી કરાશે કાર્યવાહી

સુરેન્દ્રનગર: રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમા પ્રથમવાર રાજ્યની કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અને ગુનાખોરી નિયંત્રણ માટે મહત્ત્વપૂર્ણ માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાયું. આ કાર્યક્રમમાં રેન્જ આઇ.જી., પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કોન્ફરન્સમાં વિવિધ સંવેદનશીલ અને વર્તમાન સમયે મહત્વ ધરાવતા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી.

સુરેન્દ્રનગરમાં રાજ્યના પોલીસ વડાના આગમનના પગલે સુરેન્દ્રનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન તળે

 સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ સાથે lcb,sog,lib સહિતની ટીમોએ રાજ્યભરના પોલીસ અધિકારીઓ માટે વ્યવસ્થા સંભાળી હતી.ક્રાઇમ કોન્ફરન્સનું મુખ્ય હેતુ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ, ગુનાખોરીના રેકોર્ડની સમીક્ષા, તેમજ નવા રણનીતિઓ ઘડવાનો હતો, જેથી લોકોને સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવામાં મદદ મળે. કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચર્ચાના મુદ્દાઓમાં સાયબર ફ્રોડ, શરીર સંબંધી ગુનાઓ, વ્યાજખોરી, લોન મેળા અને મહિલા સુરક્ષા પર વિશેષ ભાર મૂકાયો હતો

બોક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી ઘટાડો

DGP વિકાસ સહાયે ઉચ્ચ અધિકારીઓને હુકમ આપ્યો કે ગુનાખોરીના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને ટેક્નોલોજી દ્વારા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવે. તેમ તેમણે જણાવ્યું કે પોલીસ અને પ્રજાના વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે, જેથી નાગરિક સુરક્ષિત વાતાવરણમાં રહે અને પોલીસને પ્રજાભિમુખ બનાવી શકાય.

આ ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યમાં કાયદા-વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, અને પોલીસની કામગીરીને વધુ અસરકારક, ગતિશીલ અને પ્રજાભિમુખ બનાવવામાં મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી છે.

સાયબર ફ્રોડ સામે સખ્ત પગલાં:

ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ મામલે DGP વિકાસ સહાયે વિશેષ રણનીતિ ઘડવાની સૂચના આપી. ઈન્ટરનેટ પર થતી ધોકાધડી સામે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. નાગરિકોને જાગૃત કરવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં સાવધાની રાખવા, અને ટેક્નોલોજીના ઉપયોગથી ગુનાઓને ઝડપી રીતે પકડવા માટે તંત્રને મજબૂત બનાવવા માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી.

શરીર સંબંધી ગુનાઓ પર કડક નિયંત્રણ:

હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના રેકોર્ડમાં ઘટાડો લાવવા માટે પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મુકાયો. DGP દ્વારા સૂચના આપવામાં આવી કે ગુનાઓની તપાસની ગુણવત્તા સુધારવી અનિવાર્ય છે. એમાં evidence collection, forensic technology અને પોલીસે field પર ઝડપી action લેવું અનિવાર્ય ગણાયું.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થસે

રાજ્યમાં સામાન્ય અને ગરીબ લોકો પર વ્યાજખોરીનું દૂષણ ગંભીર ચિંતાનો વિષય છે. કોન્ફરન્સમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બચાવવા માટે સખ્ત કાયદેસર પગલાં લેવામા આવશે લોકોના જમીન મકાન દુકાનો પચાવી વ્યાજખોરના લીસ્ટ બનાવી કાર્યવાહી કરાશે લોકોને પણ અપીલ કરવામા આવી હતી આપ વ્યાજખોર સામે ફરિયાદ કરો અમે કાર્યવાહી કરીશુ

 અને બેંકો વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. લોન મેળા યોજી લોકોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સન્માનભેર જીવન જીવવામાં મદદરૂપ થવાના અભિગમ પર ભાર મૂકાયો.

મહિલા સુરક્ષા અને શી ટીમની કામગીરી:

મહિલા સુરક્ષા હંમેશા રાજ્ય પોલીસની પ્રાથમિકતા રહી છે. કોન્ફરન્સમાં જાહેર સ્થળો, શોપિંગ માળ, શૈક્ષણિક સંસ્થાઓ અને મહિલા એતિહાસિક સ્થળો નજીક પોલીસ પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકાયો. ‘શી ટીમ’ની કામગીરી વધુ સક્રિય કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને આ ટીમને ટાર્ગેટેડ એક્શન લેવાની સૂચના આપવામાં આવી.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago