Categories: Uncategorized

સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ..

સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ..

ખેત વપરાશ માટે નાખવામાં આવેલી વીજ લાઇનના કિંમતી સાધનોની તસ્કરો દ્વારા ચોરી કરવા મુદ્દે રોષ..

ગણતરીના દિવસોમાં 8 ઘટનાઓ બની..

પોલીસ તપાસ ન કરતી હોવાના ખેડૂતોના આક્ષેપ..

ખેત વપરાશમાં સિંચાઈ માટે ઉપયોગી મોટરો કિંમતી વાઈયરોની તસ્કરો ચોરી કરતા ખેડૂતોમાં રોષ..

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખેતી કરવી એટલે હવે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ થઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાય જેવા પામ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત સતત બે વર્ષથી માવઠાનો માર સહન કરતો આવ્યો છે બીજી તરફ કુદરતી આફત તો થઈ રહી છે પરંતુ માનવ સર્જિત આફતો સામે પણ ખેડૂતો હવે લડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

તસ્કરો દ્વારા રાત્રી દરમિયાન ખેડૂતોએ સિંચાઈ માટે જે મોટર ગોઠવી હોય તેના કિંમતી વાયરો અને ઈલેક્ટ્રીક મોટરોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે ગણતરીના દિવસોમાં આઠ જેટલી ઘટનાઓ બની છે આ અંગે પોલીસમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારના ગુના દાખલ ન કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે કીમતી વાયરોની ચોરી કરવામાં આવતા ખેડૂતોની ઇલેક્ટ્રીક મોટરો શરૂ નથી થતી જેને લઈને ખેડૂતો સિંચાઈ માટેનું નદીમાંથી પાણી ન લઈ શકતા હોવાનો પણ ખેડૂતોએ જણાવ્યું છે.

આ અંગે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તસ્કરો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આમ તો પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી હોવાના દાવાઓ કરતી હોય છે પરંતુ તે છતાં પણ રાત્રિ દરમિયાન ખેડૂતોના સંસાધનોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે અને હવે તસ્કરો ખેડૂતના સાધનો અને કીમતી વાયરો પણ નથી મૂકી રહ્યા કોપર અને ખાસ કરીને પિત્તળની લાલચથી સમગ્ર ખેડૂતની ઇલેક્ટ્રીક લાઈન તોડી નાખવામાં આવી રહી છે અને તે વાયરોની ચોરી કરી અને ઇલેક્ટ્રીક સંસાધનોની પણ ચોરી કરવામાં આવી રહી છે.

પેટ્રોલિંગ વધારી તસ્કરો સામે પગલાં ભરવા ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોના સિંચાઇના કિંમતી સાધનોની ચોરી થી ખેડૂતો પોતાના ખેતરોમાં પિયત પણ નથી કરી શકતા જેને લઈને પોલીસ કામગીરી સામે પણ ખેડૂતોએ રોજ વ્યક્ત કરી આવા તસ્કરો પર કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago