સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠા થી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર..
માવઠા થી દાડમ બગડી ગયા..
દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબુર..
માવઠા થી કપાસ મગફળી ઉપરાંત બાગાયત પાકનો પણ સોથ વળી ગયો..
દાડમ સરગવો લીંબુ જેવા પાકોને પણ નુકસાન..
ખેડૂતો ની હાલત દયનિય બની ગઈ..
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે કપાસ મગફળી જેવા પાકોને તો નુકસાન થયું છે પરંતુ સતત વરસાદ અને પવન સાથે વરસાદના કારણે દાડમ લીંબુ સરગવો જેવા બાગાયત પાકોને પણ નુકસાન થયું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધાંગધ્રા અને મુળી તાલુકામાં ખેડૂતો દ્વારા સૌથી વધુ બાગાયત પાકમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં તેની આવક પણ શરૂ થઈ ગઈ છે પરંતુ માવઠાના કારણે અને વરસાદના કારણે દાડમનો પાક બગડી જવા પામ્યો છે અને ખાસ કરીને તેની ક્વોલિટી પણ ખરાબ થઈ જવા પામી છે..
જ્યારે ખેડૂતો આ દાડમ વઢવાણ માર્કેટિંગ એડ અથવા તો સુરેન્દ્રનગરની જે બજારો આવેલી છે ત્યાં વેચાણ માટે લાવે તો કોઈ ખરીદવા માટે તૈયાર નથી થઈ રહ્યું જેને લઇને ખેડૂતો દ્વારા દાડમ રસ્તા ઉપર ફેંકી દેવા પડી રહ્યા છે અને પશુઓને નાખી દેવા પડતા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને માવઠાના કારણે નુકસાન થયું છે જેને લઇને દાડમનો પાક ખરાબ થઈ ગયો છે અને તેના પૂરતા ભાવ મળે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ નહિવત દેખાઈ રહી છે પરંતુ તે છતાં પણ ખેડૂતો પોતે માર્કેટિંગ યાર્ડમાં આવા દાડમ નો પાક લાવી રહ્યા છે પરંતુ ત્યાં ભાવ ન મળવાના કારણે તેની ક્વોલિટી વરસાદથી ખરાબ થઈ ગઈ હોવાના કારણે ખરીદવા માટે તૈયાર ન હોવાના કારણે ખેડૂતો રોડ ઉપર દાડમ ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે..
પહેલા માવઠા થી માર સહન કર્યો અને હવે બાગાયત પાકમાં જે આવતા પાકો છે તેની આવક શરૂ થઈ જતા તેમની ક્વોલિટીમાં ફેર પડી રહ્યો છે અને બગડી જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…