ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી દ્વારા વીજ બિલની લાંબા સમયથી બાકી વસૂલાત માટે આકરા પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 17 માર્ચના રોજ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ‘મેગા ડિસકનેક્શન ડ્રાઇવ’ યોજાશે. તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 2463 ગ્રાહકો પાસેથી રૂ. 74.22 લાખની માતબર રકમ વસૂલવાની બાકી છે.
PGVCL દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે ગ્રાહકો નિયત સમય મર્યાદામાં પોતાના વીજ બિલની ભરપાઈ નહીં કરે, તેમના વીજ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર તાત્કાલિક કાપી નાખવામાં આવશે. નાયબ કાર્યપાલક ઈજનેરે ગ્રાહકોને અપીલ કરી છે કે અંધારપટ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે 17 માર્ચ પહેલાં બાકી રકમ જમા કરાવી દેવી. આ અભિયાનને સફળ બનાવવા માટે વીજ વિભાગે વિવિધ ટીમોનું પણ ગઠન કર્યું છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…