ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી દ્વારા વીજ બિલની લાંબા સમયથી બાકી વસૂલાત માટે આકરા પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 17 માર્ચના રોજ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ‘મેગા ડિસકનેક્શન ડ્રાઇવ’ યોજાશે. તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 2463 ગ્રાહકો પાસેથી રૂ. 74.22 લાખની માતબર રકમ વસૂલવાની બાકી છે.
PGVCL દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે ગ્રાહકો નિયત સમય મર્યાદામાં પોતાના વીજ બિલની ભરપાઈ નહીં કરે, તેમના વીજ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર તાત્કાલિક કાપી નાખવામાં આવશે. નાયબ કાર્યપાલક ઈજનેરે ગ્રાહકોને અપીલ કરી છે કે અંધારપટ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે 17 માર્ચ પહેલાં બાકી રકમ જમા કરાવી દેવી. આ અભિયાનને સફળ બનાવવા માટે વીજ વિભાગે વિવિધ ટીમોનું પણ ગઠન કર્યું છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…