Dhrangadhra News | માર્ચ મહિનો નજીક આવતા જ સરકારી તંત્ર દ્વારા બાકી લેણાંની ઉઘરાણી તેજ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા પીજીવીસીએલ (PGVCL) વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રહેલી ₹1.75 કરોડની રકમ વસૂલવા માટે કમર કસી છે. તંત્ર દ્વારા આશરે 4500 જેટલા બાકીદારોને નોટિસ (Notice) ફટકારી તાત્કાલિક બિલ ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.
ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી (Agricultural), ઘરવપરાશ (Domestic) અને ઇન્ડસ્ટ્રીઝ (Industries) ના વીજ બિલોની મોટી રકમ બાકી છે. માર્ચ એન્ડિંગ (March Ending) ને ધ્યાનમાં રાખીને જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાકી રકમ જમા નહીં કરવામાં આવે તો વીજ કનેક્શન (Electricity Connection) કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાર્યપાલક ઈજનેર જી. વડગાસીયાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે. નાયબ ઈજનેર ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકોની સુવિધા માટે કેશલેસ (Cashless) પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. હાલ રિક્ષા દ્વારા જાહેરાત (Announcement) અને બોર્ડ લગાવીને ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…