Dhrangadhra

ધ્રાંગધ્રા PGVCLની કડક કાર્યવાહી: ₹1.75 કરોડની વસૂલાત માટે 4500 ગ્રાહકોને નોટિસ

Dhrangadhra News | માર્ચ મહિનો નજીક આવતા જ સરકારી તંત્ર દ્વારા બાકી લેણાંની ઉઘરાણી તેજ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા પીજીવીસીએલ (PGVCL) વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રહેલી ₹1.75 કરોડની રકમ વસૂલવા માટે કમર કસી છે. તંત્ર દ્વારા આશરે 4500 જેટલા બાકીદારોને નોટિસ (Notice) ફટકારી તાત્કાલિક બિલ ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી (Agricultural), ઘરવપરાશ (Domestic) અને ઇન્ડસ્ટ્રીઝ (Industries) ના વીજ બિલોની મોટી રકમ બાકી છે. માર્ચ એન્ડિંગ (March Ending) ને ધ્યાનમાં રાખીને જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાકી રકમ જમા નહીં કરવામાં આવે તો વીજ કનેક્શન (Electricity Connection) કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

કાર્યપાલક ઈજનેર જી. વડગાસીયાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે. નાયબ ઈજનેર ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકોની સુવિધા માટે કેશલેસ (Cashless) પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. હાલ રિક્ષા દ્વારા જાહેરાત (Announcement) અને બોર્ડ લગાવીને ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago