Dhrangadhra

ધ્રાંગધ્રા PGVCLની કડક કાર્યવાહી: ₹1.75 કરોડની વસૂલાત માટે 4500 ગ્રાહકોને નોટિસ

Dhrangadhra News | માર્ચ મહિનો નજીક આવતા જ સરકારી તંત્ર દ્વારા બાકી લેણાંની ઉઘરાણી તેજ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા પીજીવીસીએલ (PGVCL) વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રહેલી ₹1.75 કરોડની રકમ વસૂલવા માટે કમર કસી છે. તંત્ર દ્વારા આશરે 4500 જેટલા બાકીદારોને નોટિસ (Notice) ફટકારી તાત્કાલિક બિલ ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી (Agricultural), ઘરવપરાશ (Domestic) અને ઇન્ડસ્ટ્રીઝ (Industries) ના વીજ બિલોની મોટી રકમ બાકી છે. માર્ચ એન્ડિંગ (March Ending) ને ધ્યાનમાં રાખીને જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાકી રકમ જમા નહીં કરવામાં આવે તો વીજ કનેક્શન (Electricity Connection) કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

કાર્યપાલક ઈજનેર જી. વડગાસીયાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે. નાયબ ઈજનેર ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકોની સુવિધા માટે કેશલેસ (Cashless) પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. હાલ રિક્ષા દ્વારા જાહેરાત (Announcement) અને બોર્ડ લગાવીને ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago