Dhrangadhra News | માર્ચ મહિનો નજીક આવતા જ સરકારી તંત્ર દ્વારા બાકી લેણાંની ઉઘરાણી તેજ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા પીજીવીસીએલ (PGVCL) વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રહેલી ₹1.75 કરોડની રકમ વસૂલવા માટે કમર કસી છે. તંત્ર દ્વારા આશરે 4500 જેટલા બાકીદારોને નોટિસ (Notice) ફટકારી તાત્કાલિક બિલ ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.
ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી (Agricultural), ઘરવપરાશ (Domestic) અને ઇન્ડસ્ટ્રીઝ (Industries) ના વીજ બિલોની મોટી રકમ બાકી છે. માર્ચ એન્ડિંગ (March Ending) ને ધ્યાનમાં રાખીને જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાકી રકમ જમા નહીં કરવામાં આવે તો વીજ કનેક્શન (Electricity Connection) કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાર્યપાલક ઈજનેર જી. વડગાસીયાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે. નાયબ ઈજનેર ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, લોકોની સુવિધા માટે કેશલેસ (Cashless) પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. હાલ રિક્ષા દ્વારા જાહેરાત (Announcement) અને બોર્ડ લગાવીને ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…