Dhrangadhra Land Fraud | સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના જીવા ગામે જમીન પચાવી પાડવાના એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જીવા ગામમાં સર્વે નંબર 909 વાળી ખેતીલાયક જમીનના મૂળ માલિક નીતાબા નવલસિંહ રાણાએ આ જમીન પોતાના એક સ્વજનને ખેડાણ (Farming) માટે આપી હતી. જોકે, જમીન માલિક મહિલા હયાત હોવા છતાં, ભૂમાફિયાઓએ તેમનું બોગસ ડેથ સર્ટિફિકેટ (Fake Death Certificate) બનાવી જમીન પોતાના નામે ચડાવવાનો કારસો રચ્યો હતો.
આ છેતરપિંડીની જાણ ત્યારે થઈ જ્યારે વર્ષ 2025માં આ જમીન પર માલિકની જાણ બહાર રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના નામની વારસાઈ માટેની કાચી નોંધ (Draft Entry) પાડવામાં આવી હતી. મહિલાને શંકા જતાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાનીરવ ગામેથી તેમનું ખોટું મરણ પ્રમાણપત્ર કઢાવવામાં આવ્યું હતું. આ આધારે જમીન હડપવા (Land Grabbing) માટે ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડમાં પંચ તરીકે મહાવીરસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજાની હાજરીમાં રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર ખોટી વારસાઈ રજૂ કરી હતી, જેમાં રામદેવસિંહ નામના શખ્સે ઓળખ આપી હતી. આખરે સત્ય બહાર આવતા જમીન માલિક મહિલાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને રામદેવસિંહ વિરુદ્ધ ગુનો (Complaint) નોંધાવ્યો છે. હાલ પોલીસ આ ભૂમાફિયાઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…