જિલ્લાના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ પ્રેરિત કૃષિ મહોત્સવ અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર. રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક કૃષિ)ના સિદ્ધાંતો પર તૈયાર કરાયેલા વઢવાણ તાલુકાનાં લટુડા ગામના અંજીરના મોડેલ ફાર્મની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, ખેતીની નવીનતમ પદ્ધતિઓ અને પાકની ગુણવત્તા વિશે રૂબરૂ જાણકારી મેળવી હતી.ખેડૂત મિલનભાઈ રાવલે અંજીરના પાક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અંજીર એક એવો પાક છે જેને વધારે ગરમી અને સૂકું વાતાવરણ માફક આવે છે અને તે ઓછા પાણીએ પણ સારો પાક આપે છે. જે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી 22…
Sayla Crime News | સાયલા તાલુકાના સેજકપર ગામના શાંતિનગર પરામાં રસ્તે ચાલવા જેવી સામાન્ય બાબતે…
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…