Thangadh

થાનગઢના જામવાળીમાં દરોડા 5 કુવામાથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું

ચોટીલાના નાયબ કલેક્ટરના થાનગઢના જામવાળીમાં દરોડા 5 કુવામાથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું

ટ્રેક્ટર, બે કમ્પ્રેશન મશીન, પાંચ ચરખીઓ, ત્રણ બકેટ, એક બાઈક સહીત 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યા

ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર ટીમે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું.

આ દરોડો વહેલી પરોઢે રાત્રિના ૧ વાગ્યાના અરસામાં પાડવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર મકવાણાના નેતૃત્વમાં થાન મામલતદાર અને તેમની સંયુક્ત ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

સ્થળ પર તપાસ કરતાં ગેરકાયદેસર રીતે કાર્યરત કુલ ૫ કાર્બોસેલના કૂવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. આ કૂવાઓ પરથી ટીમે રૂપિયા ૧૫ લાખ ૫૦ હજારની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૪૦ મેટ્રિક ટન કાર્બોસેલ, એક ટ્રેક્ટર, બે કમ્પ્રેશન મશીન, પાંચ ચરખીઓ, ત્રણ બકેટ, એક બાઈક જપ્ત કરીને તમામ મુદ્દામાલને તાત્કાલિક મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ઈસમો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ કોના દ્વારા ખોદવામાં આવ્યા હતા ? અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago