Surendranagar

દુધરેજ-વેળાવદર રોડ RCC બનાવી દીધો, પણ વરસાદી નાળું બનાવવાનું ભૂલી જતાં ફરી ખોદ્યો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુધરેજથી વેળાવદર સુધી લાખો રૂપિયાના ખર્ચે નવો આરસીસી રોડ (RCC Road) બનાવવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ (Project) હજુ ચાલુ જ છે, ત્યાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરને અચાનક ભાન થયું કે તેઓ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું બનાવવાનું જ ભૂલી ગયા છે! આ ગંભીર ભૂલને ઢાંકવા માટે હવે નવો બનેલો રોડ તોડીને ફરીથી ખોદકામ શરૂ કરાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, દુધરેજ નજીક નવો રોડ બનાવતી વખતે ત્યાં વર્ષો જૂનું વરસાદી નાળું હતું, જેમાં માટી પુરીને તેને બંધ કરી દેવાયું હતું. જો આ ભૂલ સુધારવામાં ન આવી હોત તો ચોમાસામાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય તેમ હતો. પોતાની આ મોટી ભૂલ સમજાતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક જેસીબી (JCB) મશીન વડે નવો નક્કોર રોડ અધવચ્ચેથી તોડી નાખ્યો છે અને ત્યાં નવું નાળું બનાવવાની કામગીરી શરૂ કરી છે.

એકવાર આરસીસી (RCC) સ્ટ્રક્ચર બની ગયા બાદ તેને તોડીને સાંધો મારવાથી રોડનું આયુષ્ય અને તેની લોડ બેરિંગ કેપેસિટી (Load bearing capacity) ઘટવાની પૂરેપૂરી ભીતિ છે. જનતાના ટેક્સ (Tax) ના પૈસાનો આ રીતે બગાડ કરનાર બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago