સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજબીલ ન ભરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વીજબિલ ન ભરનાર વીજ કનેક્શન ધારકોના ઘરે જઈ અને ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના કટુડા ગામે દશરથસિંહ જામભા ઝાલા ના રહેણાંક મકાને પીજીવીસીએલ વિભાગની ટીમ બાકી બિલ ની રકમ વસૂલવા માટે ગઈ હતી.
જેમાં 17,099 રૂપિયા નો વીજબીલ વસુલાત કરવાનું હતું ત્યારે આ મુદ્દે પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર તેમજ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ નિકુલ ઈશ્વરભાઈ પટેલ અને લાઈનમેન યુનુસભાઇ કાસમભાઈ મકવાણા સહિતના કર્મચારીઓ વીજબિલની વસૂલાત માટે કટુડા ગામે દશરથસિંહ ઝાલા ના ઘરે પહોંચ્યા હતા.
ત્યારે આ મુદ્દે મામલો ઘરમાં જવા પામ્યો હતો અને દશરથસિંહ ઝાલા ના રહેણાંક મકાને બિલના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા તે દરમિયાન પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓના હાથમાં રહેલી સ્લીપ બુક છીનવી લેવામાં આવી હતી અને ફરજમાં રૂકાવટ કરી અને અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ બિલના રૂપિયા નહીં આપવાના અને આ ઘરે જ આવો છો તેમ કહીને પીજીવીસીએલ વિભાગની ટીમ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અહીં આવશો તો હાથ પગ ભાંગી નાખવામાં આવશે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે સરકારી મહેન્દ્રા બોલેરો કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.
ત્યારે આ અંગે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરી અને હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…