વઢવાણ ધોળીપોળમાં PGVCLની બેદરકારી બેનર લગાવવા ગયેલા યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયુ
સેવાભાવી યુવાનોએ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો સારવાર દરમ્યાન મોત નીપજ્યુ
સુરેન્દ્રનગર : વઢવાણ શહેરના ધોળીપોળ વિસ્તારમાં પીજીવીસીએલ (PGVCL) વિભાગની ઘોર બેદરકારીના આક્ષેપો સાથે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ આક્રોશનું તાત્કાલિક કારણ એ બન્યું કે બેનર લગાવવાની કામગીરી કરી રહેલા એક સેવાભાવી યુવાનને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ, મુન્નાભાઈ ચાવડા નામના સેવાભાવી યુવાન ધોળીપોળ દરવાજા ઉપર બેનર લગાવી રહ્યા હતા. તે જ સમયે, કોઈ અગમ્ય કારણોસર તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક દોડધામ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે સ્થાનિકો દ્વારા મુનાભાઇને મહામહેનતે ઉપરથી ઉતારી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
શોક લાગવાના કારણે યુવાનની હાલત ગંભીર જણાતા હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઇજાગ્રસ્ત મુન્નાભાઈ ચાવડાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ ઘટના બાદ વીજ તંત્રની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થતા
સ્થાનિક લોકોએ પીજીવીસીએલ વિભાગની કામગીરી અને જર્જરિત વીજ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…