Categories: Surendranagar

ગાંધીધામના મેણીયા પરિવારની ઉમદા જાહેરાત: સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના ૧૫મા સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લક્ષ્મણભાઈ મેણીયા ભોગવશે

દીકરીઓના કરિયાવરથી લઈ ભોજન અને મંડપ સુધીનો તમામ ખર્ચ મેણીયા પરિવાર દ્વારા કરાશે; સેવાકીય કાર્યને પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ વધાવ્યું

શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા દર વર્ષે આયોજિત થતા ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ૧૪મા સમૂહલગ્નમાં ૩૭ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, ત્યારે આ જ મંચ પરથી આગામી ૧૫મા સમૂહલગ્ન માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીધામના ગાયત્રી કેટરર્સવાળા લક્ષ્મણભાઈ મેણીયા, અલ્પેશભાઈ મેણીયા અને હસમુખભાઈ મેણીયા પરિવારે આવતા વર્ષના સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી છે.

આ જાહેરાત મુજબ, આગામી વર્ષે તમામ દીકરીઓનો સંપૂર્ણ કરિયાવર, હજારો લોકોનું ભોજન, મંડપ વ્યવસ્થા, સાઉન્ડ તેમજ લગ્ન પ્રસંગે થનારા તમામ નાના-મોટા ખર્ચ મેણીયા પરિવાર તરફથી કરવામાં આવશે. સમાજના હિતમાં લેવાયેલા આ મોટા નિર્ણયને મંડળના યુવા અને ઉત્સાહી પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ હૃદયપૂર્વક વધાવ્યો હતો અને અલ્પેશભાઈ મેણીયાનું વિશેષ સન્માન કર્યું હતું.

પ્રજાપતિ સમાજના દરેક સેવાકીય કાર્યોમાં મેણીયા પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે. ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ તે કહેવત મુજબ લક્ષ્મણભાઈના બંને પુત્રો હસમુખભાઈ અને અલ્પેશભાઈ પણ પિતાના પગલે ચાલીને સમાજસેવામાં પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. આ જાહેરાતથી સમગ્ર પ્રજાપતિ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago