સુરેન્દ્રનગર: રાષ્ટ્રીય એકતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
જેમાં તા. ૧૬ થી ૨૧ નવેમ્બર દરમિયાન પદયાત્રાનું આયોજન
આ પદયાત્રા વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી એક યાત્રા જિલ્લા કક્ષાની
પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની નક્કી કરાઈ છે.
આ યાત્રાઓમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાનાર છે.
પદયાત્રાના રૂટ પર લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી છે. જેમાં મેડિકલ ટીમની વ્યવસ્થા, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તેમજ તમામ પ્રાંત અધિકારીઓ અને અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…