સુરેન્દ્રનગર સીટી પોલીસ (Surendranagar City Police)ની કસ્ટડીમાં નકલી IAS મેહુલ શાહે (Mehul Shah) સીટી પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઈ ફીનાઇલ (Phenyl) પી લેતાં સન્સનાટી મચી ગઈ છે.
ઘટના બનતાં જ પોલીસ સ્ટાફે તેને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ આરોપી મેહુલ શાહે મહેસુલ વિભાગના (Revenue Department) ડુપ્લીકેટ ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી 50 થી વધુ શિક્ષિત યુવાનોને તલાટીના (Talati) બોગસ જોઈનિંગ લેટર (Joining Letters) આપી કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud) આચરી હતી.
આ સમગ્ર કૌભાંડમાં સુરેન્દ્રનગર સીટી પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ (Remand) મેળવ્યા હતા. પૂછપરછ અને તપાસના ભાગરૂપે પોલીસ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) પણ લઈ ગઈ હતી.
20 August ના રોજ તેના રિમાન્ડ પૂર્ણ થવાના હોવાથી બપોરે તેને કોર્ટમાં (Court) હાજર કરવાનો હતો. તે જ સમયે આરોપીએ બાથરૂમ (Bathroom) જવાનું બહાનું બતાવી કસ્ટડીના બાથરૂમમાં પડેલું ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો.
આ સમગ્ર કૌભાંડની તપાસનો રેલો વાંકાનેર (Wankaner), રાજકોટ (Rajkot) અને અમદાવાદ સુધી પહોંચ્યો છે, જેમાં વાંકાનેરના એક મહિલા ભાજપ (BJP) અગ્રણીની સંડોવણી પણ સામે આવી છે. કસ્ટડીમાં આરોપીએ કરેલા આ પ્રયાસથી પોલીસ સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.
