સુરેન્દ્રનગર (Surendranagar) | વઢવાણ તાલુકાના વસ્તડી ગામે જૂની લેતીદેતીના મામલે હિંસક હુમલો (Assault) થવાની ઘટના સામે આવી છે. નવ વર્ષ પહેલાં લીધેલા પૈસા પરત ન કરી શકતા પિતા-પુત્રએ મળીને એક વ્યક્તિ પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાઈ છે.
મૂળ મોટા મઢાદ ગામના અને હાલ સાયલા રહેતા દિલીપભાઈ ચિકાભાઈ રાઠોડ વસ્તડી ગામે એક લગ્ન પ્રસંગમાં (Wedding Ceremony) ગયા હતા. આ દરમિયાન ગામમાં રહેતા જોરૂભાઈ માલુભાઈ ગોહિલ અને તેમના પુત્ર મહાવિરસિંહ જોરૂભાઈ ગોહિલે ફરિયાદીને ઘરમાં બોલાવી અપશબ્દો (Abuse) બોલીને લાકડી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ (Preliminary Investigation) મુજબ, ફરિયાદીએ આશરે નવ વર્ષ પહેલાં જોરૂભાઈ પાસેથી ₹7 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી ₹2 લાખની સગવડ ન થતા તેઓ ચૂકવી શક્યા નહોતા. આ નાણાકીય મનદુઃખ રાખીને પિતા-પુત્રએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ જોરાવરનગર પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.