‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ પ્રથમ દિવસે હજારો લોકોએ મુલાકાત અને ખરીદી કરી
સુરેન્દ્રનગર: વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેળાનું મેદાન, ખાતે તા. ૧૨, ૧૩ અને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ત્રિ-દિવસીય ‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આજે આ મેળાને મંત્રી કલેક્ટર ધારાસભ્ય કમિશ્નર સહીતનાએ ખુલ્લો મુકવામા આવ્યો હતો મેળામાં સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી ગૃહ સુશોભન, ખાદ્ય સામગ્રી, વસ્ત્રો, માટીકલા અને કાષ્ઠકલા સહિતની વિવિધ હસ્તકલાની વસ્તુઓના ૭૦થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન “વારસે મઢ્યું વઢવાણ” નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
ખરીદીના આકર્ષણની સાથે ત્રણેય દિવસ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મણીયારો રાસ, સીદી ધમાલ નૃત્ય, હુડો રાસ, લોક ડાયરો જેવા કાર્યક્રમો દ્વારા ઝાલાવાડની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવશે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…