16 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર વસ્તડી પુલનું છેલ્લા 04 મહિનાથી કામગીરી બંઘ હાલતમાં.
45 થી વધુ ગામોના લોકોને હાલાકી..
2023માં પુલ તૂટી ગયો હતો અને બે ભાગ થઇ ગયા હતા…
24 સપ્ટેમ્બર 2023 ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ઉપર આવેલો ભોગાવો નદી ઉપરનો પુલ અચાનક તૂટી પડવા પામ્યો હતો અને તેના ઉપરથી ઓવરલોડ ડમ્પરો તેમજ ઓવરલોડ વાહનો પસાર થતા હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ જેટલા વાહનો પણ ડૂબી ગયા હતા અને વાહન ચાલકો પણ નદીના પાણીમાં ખાબકીયા હતા. ત્યારે 24 સપ્ટેમ્બર ના રોજ બનેલી ઘટના બાદ 2025 માં નવું નિર્માણ આ પુલનું કામ કરાવવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.
અંદાજિત 16 કરોડ રૂપિયાના ખર્ચે વસ્તડી બ્રિજનું નવનિર્માણ કામ હાથ ધરવા માટે આગેવાનો દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર નવનિર્માણ કામ કરવાની પ્રક્રિયા બંધ હાલતમાં છે એક બાજુ ચુડા બોટાદ રાણપુર જવા માટે સુરેન્દ્રનગર ને જોડતો એકમાત્ર આ પુલ આવેલો છે તે પણ છેલ્લા બે વર્ષથી સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભોગાવો નદીની અંદરથી ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે પરંતુ તે પણ અત્યંત બિસમાર હાલતમાં છે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે..
વસ્તડી ખાતે મેલડી માતાજીનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ પણ આવેલું છે ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામમાં પણ ફસાયેલું રહેવું પડી રહ્યું છે 45 ગામના લોકોને તો હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હાલના તબક્કામાં પુલ બંધ હોવાના કારણે શાળા એ જતી સ્કૂલ વાહનો છે તે પણ ભોગાવો નદીમાંથી પસાર કરવી પડી રહી છે અને તે પણ જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ આવવા માટે મજબુર બની રહ્યા છે..
ખાત મહુર્ત કર્યા બાદ ચાર મહિનાથી સમગ્ર કામગીરી બંધ હાલતમાં છે ત્યારે રોજના 1,000 થી વધુ વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપી અને તાત્કાલિક કામ શરૂ કરાવવામાં આવે તેવી આજુબાજુના 45 થી વધુ ગામના લોકોની માંગ છે કારણ કે આ ગામના લોકોને પણ જરૂર માટે હાલાકી નો સામનો અને તકલીફ વેઠવી પડી રહી છે ખાત મહુર્ત થયું અને નવનિર્માણનું કામ પણ શરૂ થયું પરંતુ તે હવે બંધ પડ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર ધ્યાન આપી તાત્કાલિક કામગીરી પૂરી કરે તેવી માંગ ઉઠવા પામી છે
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…