Categories: Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસનું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું

મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું..

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી જિલ્લાના સંગઠન કરાયું જાહેર..

13 ઉપપ્રમુખ અને 12 મહામંત્રીઓ 22 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી..

ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી..

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ નું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી રહેલ કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વધુ મજબૂત બને તે પ્રકારના પ્રયાસો પ્રદેશ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે તેમાં પ્રથમ જિલ્લા પ્રમુખ તરીકે નૌસાદ સોલંકીને રીપીટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસનો સંગઠન રચવા માટેની કવાયત છેલ્લા અનેક મહિનાઓથી ચલાવવામાં આવી રહી હતી અંતે આ અટકણોનો અંત આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ જાહેર કરવામાં આવી છે અને નવ સંગઠન પણ જાહેર કરવામાં આવ્યું છે.

સંગઠનમાં જિલ્લા કક્ષાની સમિતિમાં 13 જેટલા ઉપપ્રમુખો 12 જેટલા મહામંત્રીઓ 04 પ્રવક્તા 22 જેટલા મંત્રીઓ અને 26 જેટલા કાયમી આમંત્રિત કારોબારી સભ્ય ની યાદી જાહેર કરવામાં આવી છે છેલ્લા અનેક સમયથી સુરેન્દ્રનગર જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન જાહેર કરવામાં આવ્યું ન હતું ત્યારે અંતવ અટકળોનો અંત આવ્યો છે અને કોંગ્રેસે પોતાનું નવું સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન જાહેર કરી અને વિવિધ સમિતિઓ પણ જાહેર કરી છે આ ઉપરાંત થાન શહેર કોંગ્રેસ સમિતિ પણ જાહેર કરવામાં આવી છે.

આગામી દિવસોમાં આવનારી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તેમજ અન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ લડત આપે તે માટે સંગઠનને કામે લગાડી દેવામાં આવ્યું છે અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ નવુ સંગઠન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તમામ સંગઠનના હોદ્દેદારોને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવા તેમજ કામે લાગી જવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

નવા સંગઠનના હોદ્દેદારોને સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે બોલાવી લઈ અને ત્યારબાદ બેઠક પણ યોજવામાં આવી છે અને લોકોના પ્રશ્નને લઈ અને તંત્રને પહોંચાડવા માટે અને લોકો વચ્ચે જઈ અને લોક સંવાદના કામગીરી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે..

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago