પાટડીના કલાળા દરવાજા અનેવડવાળા હોલ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય,
દારુની બોટલો દારુબંધીના દાવા પોકળ જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કર્યો
પાટડી સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે શહેરમાં ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે. કલાળા દરવાજા અને વડવાળા હોલ વચ્ચે એક વર્ષે પહેલા એક પાણીનો ઘાટ હતો જે હાલમા બંધ હાલતમા છે આસ્થળની હાલત અત્યંત દયનીય છે. એક નાગરિક દ્વારા બનાવવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યાં અગાઉ પાણીનો ઘાટ હતો, ત્યાં આજે કચરા અને ગંદકીના ઢગલા પડ્યા છે નગરપાલિકાના સ્વચ્છતાના દાવાઓ પોકળ સાબીત થય રહ્યા છે
વિડિયોના માધ્યમથી એક સ્થાનિક વ્યક્તિઆ વિસ્તારની ખરાબ હાલત દર્શાવતા સત્તાવાળાઓ પર સવાલ ઉઠાવે છે. તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે વર્ષોથી આ જગ્યા પર કચરો અને ગંદકી છે. તેઓ તૂટેલી પાઈપો, પ્લાસ્ટિકની કોથળીઓ, દારૂ અનેક કંપનીઓની બોટલો અને અન્ય ગંદકી તરફ ધ્યાન દોરે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે કચરાના ઢગલામાંથી દારૂની બોટલો અને બીયરના ટીન પણ જોવા મળે છે. વિડિયોમાં બોલનાર વ્યક્તિ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવવા બદલ આશ્ચર્ય વ્યક્ત કરે છે. તેઓ સરકારના ‘ગાંધીના ગુજરાતમાં દારૂબંધી’ના દાવાઓ અને ‘સ્વચ્છતા અભિયાન’ની સફળતા પર સીધો સવાલ ઉઠાવે છે.
તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આક્રોશ વ્યક્ત કરે છે. ત્યારે
સ્થાનિક નાગરિકો તંત્રને વિનંતી કરી છે કે માત્ર વાતો કે રેલીઓ કરવાને બદલે, જ્યાં ગંદકી છે અને લોકો તકલીફમાં છે, ત્યાં તાત્કાલિક સ્વચ્છતા કરાવીને કચરો દૂર કરવામાં આવે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…