Categories: Surendranagar

ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

ગુજરાતના શ્વાસમાં ધબકતી અને ૩૬ પેઢી સુધીનો સચોટ ઇતિહાસ સાચવનાર બારોટજીની પરંપરા આધુનિક યુગમાં વિસરાઈ રહી છે, જેના કારણે હજારો વર્ષ જૂની વંશાવળી (વહી) અને લોકવિદ્યા ઉપેક્ષિત થઈ રહી છે. એક સમયે જે ‘વહી’ને પૂર્વજોએ જીવની જેમ સાચવી હતી, તેનું મહત્વ આજની પેઢી સમજી શકતી નથી.

ટેકનોલોજીના યુગમાં પણ વંશાવળીની સચોટતા

બારોટજીના વહીવંચા ચોપડામાં માત્ર વર્તમાન જ નહીં, પરંતુ હજારો વર્ષોે પહેલાં સમાજ ક્યાંથી ઉત્પન્ન થયો, ક્યાં વસ્યો અને શું કાર્ય કર્યું તેની સચોટ નોંધ જોવા મળે છે. ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર પાંચમી પેઢી કોણ છે તે કહી શકતા નથી, જ્યારે બારોટ પાસેથી યજમાનનો ૧૪૦૦ વર્ષનો ઇતિહાસ અને ૩૬ પેઢી સુધીની માહિતી મળી રહે છે. આ વંશીગોર (બારોટ) પોતાના યજમાનોના ગોત્ર, કુળદેવતા, વેદ, શાખા અને પેઢીઓની નામાવલી સાચવીને સમાજની પેઢીઓને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. પુત્રજન્મ થાય ત્યારે બારોટના ચોપડે નામ નોંધાવવાનો પ્રસંગ ઉજવાતો, જ્યાં નવી પેઢીના છોકરાઓ પોતાના કુળની ગાથા સાંભળતા.

સાંકેતિક ભાષામાં લખાણ

બારોટની વહીનું લખાણ અત્યંત સંક્ષિપ્ત અને સાંકેતિક ભાષામાં હોય છે, જેને બીજો કોઈ ઉકેલી શકતો નથી. ‘ઘોડો કીઆડો’, ‘પાઘડી’, ‘તલવાર’ જેવા શબ્દો ચોક્કસ સાંકેતિક અર્થો ધરાવતા હોય છે, જે આગળની પેઢીઓની વંશાવળી કયા પાને છે તે સૂચવે છે. આ ગુપ્ત સંકેત યોજના ચોપડાની સુરક્ષા માટે રાખવામાં આવી હતી. આ હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠેલા બારોટજીના ચોપડામાં લખેલા એકેએક શબ્દ આજે પણ દેશની તમામ કોર્ટમાં માન્ય ગણાય છે. અનેક જટિલ કેસોમાં કોર્ટે તેના આધારે ચુકાદા આપ્યા છે.

વિસરાતી જતી પરંપરા

એક સમયે જ્યારે બારોટજી (વંશીગોર) તેમના યજમાનના ઘરે આગમન કરતા ત્યારે વાજતે-ગાજતે સામૈયા થતા અને તેમનું મોભી સન્માન થતું હતું. પરંતુ આજના છૈં અને મોબાઇલ યુગમાં યુવાનોને તેમના બારોટજીનું મહત્વ કે તેમના દાદા-પરદાદાનો ઇતિહાસ સાચવનાર વ્યક્તિ કોણ છે, તેની જાણ પણ નથી. વર્ષે આવતા બારોટજી હવે પાંચથી સાત વર્ષે આવે છે. આ કારણે સમાજની પેઢીઓને જીવંત રાખવાનું આ ભવ્ય કાર્ય હવે ઉપેક્ષિત થઈ રહ્યું છે.

રાજપૂત રાજવંશની વહીઓ ૩૦-૩૦ કિલોની છે

વહી એટલે લોકસંસ્કૃતિનો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકોનું બહુ ધ્યાન ખેચાયું નથી, આ વહીઓ આપણા ભવ્ય ભૂતકાળને જાણવાનું એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકારની હોય છે તેમાય રાજપૂત રાજવંશની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી ૩૦-૩૦ કિલો વજનવાળી રાજવહીઓ છે. આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે.

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

23 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

1 day ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

1 day ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

1 day ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

1 day ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago