ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે
ગુજરાતના શ્વાસમાં ધબકતી અને ૩૬ પેઢી સુધીનો સચોટ ઇતિહાસ સાચવનાર બારોટજીની પરંપરા આધુનિક યુગમાં વિસરાઈ રહી છે, જેના કારણે હજારો વર્ષ જૂની વંશાવળી (વહી) અને લોકવિદ્યા ઉપેક્ષિત થઈ રહી છે. એક સમયે જે ‘વહી’ને પૂર્વજોએ જીવની જેમ સાચવી હતી, તેનું મહત્વ આજની પેઢી સમજી શકતી નથી.
ટેકનોલોજીના યુગમાં પણ વંશાવળીની સચોટતા
બારોટજીના વહીવંચા ચોપડામાં માત્ર વર્તમાન જ નહીં, પરંતુ હજારો વર્ષોે પહેલાં સમાજ ક્યાંથી ઉત્પન્ન થયો, ક્યાં વસ્યો અને શું કાર્ય કર્યું તેની સચોટ નોંધ જોવા મળે છે. ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર પાંચમી પેઢી કોણ છે તે કહી શકતા નથી, જ્યારે બારોટ પાસેથી યજમાનનો ૧૪૦૦ વર્ષનો ઇતિહાસ અને ૩૬ પેઢી સુધીની માહિતી મળી રહે છે. આ વંશીગોર (બારોટ) પોતાના યજમાનોના ગોત્ર, કુળદેવતા, વેદ, શાખા અને પેઢીઓની નામાવલી સાચવીને સમાજની પેઢીઓને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. પુત્રજન્મ થાય ત્યારે બારોટના ચોપડે નામ નોંધાવવાનો પ્રસંગ ઉજવાતો, જ્યાં નવી પેઢીના છોકરાઓ પોતાના કુળની ગાથા સાંભળતા.
સાંકેતિક ભાષામાં લખાણ
બારોટની વહીનું લખાણ અત્યંત સંક્ષિપ્ત અને સાંકેતિક ભાષામાં હોય છે, જેને બીજો કોઈ ઉકેલી શકતો નથી. ‘ઘોડો કીઆડો’, ‘પાઘડી’, ‘તલવાર’ જેવા શબ્દો ચોક્કસ સાંકેતિક અર્થો ધરાવતા હોય છે, જે આગળની પેઢીઓની વંશાવળી કયા પાને છે તે સૂચવે છે. આ ગુપ્ત સંકેત યોજના ચોપડાની સુરક્ષા માટે રાખવામાં આવી હતી. આ હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠેલા બારોટજીના ચોપડામાં લખેલા એકેએક શબ્દ આજે પણ દેશની તમામ કોર્ટમાં માન્ય ગણાય છે. અનેક જટિલ કેસોમાં કોર્ટે તેના આધારે ચુકાદા આપ્યા છે.
વિસરાતી જતી પરંપરા
એક સમયે જ્યારે બારોટજી (વંશીગોર) તેમના યજમાનના ઘરે આગમન કરતા ત્યારે વાજતે-ગાજતે સામૈયા થતા અને તેમનું મોભી સન્માન થતું હતું. પરંતુ આજના છૈં અને મોબાઇલ યુગમાં યુવાનોને તેમના બારોટજીનું મહત્વ કે તેમના દાદા-પરદાદાનો ઇતિહાસ સાચવનાર વ્યક્તિ કોણ છે, તેની જાણ પણ નથી. વર્ષે આવતા બારોટજી હવે પાંચથી સાત વર્ષે આવે છે. આ કારણે સમાજની પેઢીઓને જીવંત રાખવાનું આ ભવ્ય કાર્ય હવે ઉપેક્ષિત થઈ રહ્યું છે.
રાજપૂત રાજવંશની વહીઓ ૩૦-૩૦ કિલોની છે
વહી એટલે લોકસંસ્કૃતિનો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકોનું બહુ ધ્યાન ખેચાયું નથી, આ વહીઓ આપણા ભવ્ય ભૂતકાળને જાણવાનું એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકારની હોય છે તેમાય રાજપૂત રાજવંશની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી ૩૦-૩૦ કિલો વજનવાળી રાજવહીઓ છે. આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…