Categories: Surendranagar

ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

ગુજરાતના શ્વાસમાં ધબકતી અને ૩૬ પેઢી સુધીનો સચોટ ઇતિહાસ સાચવનાર બારોટજીની પરંપરા આધુનિક યુગમાં વિસરાઈ રહી છે, જેના કારણે હજારો વર્ષ જૂની વંશાવળી (વહી) અને લોકવિદ્યા ઉપેક્ષિત થઈ રહી છે. એક સમયે જે ‘વહી’ને પૂર્વજોએ જીવની જેમ સાચવી હતી, તેનું મહત્વ આજની પેઢી સમજી શકતી નથી.

ટેકનોલોજીના યુગમાં પણ વંશાવળીની સચોટતા

બારોટજીના વહીવંચા ચોપડામાં માત્ર વર્તમાન જ નહીં, પરંતુ હજારો વર્ષોે પહેલાં સમાજ ક્યાંથી ઉત્પન્ન થયો, ક્યાં વસ્યો અને શું કાર્ય કર્યું તેની સચોટ નોંધ જોવા મળે છે. ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર પાંચમી પેઢી કોણ છે તે કહી શકતા નથી, જ્યારે બારોટ પાસેથી યજમાનનો ૧૪૦૦ વર્ષનો ઇતિહાસ અને ૩૬ પેઢી સુધીની માહિતી મળી રહે છે. આ વંશીગોર (બારોટ) પોતાના યજમાનોના ગોત્ર, કુળદેવતા, વેદ, શાખા અને પેઢીઓની નામાવલી સાચવીને સમાજની પેઢીઓને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. પુત્રજન્મ થાય ત્યારે બારોટના ચોપડે નામ નોંધાવવાનો પ્રસંગ ઉજવાતો, જ્યાં નવી પેઢીના છોકરાઓ પોતાના કુળની ગાથા સાંભળતા.

સાંકેતિક ભાષામાં લખાણ

બારોટની વહીનું લખાણ અત્યંત સંક્ષિપ્ત અને સાંકેતિક ભાષામાં હોય છે, જેને બીજો કોઈ ઉકેલી શકતો નથી. ‘ઘોડો કીઆડો’, ‘પાઘડી’, ‘તલવાર’ જેવા શબ્દો ચોક્કસ સાંકેતિક અર્થો ધરાવતા હોય છે, જે આગળની પેઢીઓની વંશાવળી કયા પાને છે તે સૂચવે છે. આ ગુપ્ત સંકેત યોજના ચોપડાની સુરક્ષા માટે રાખવામાં આવી હતી. આ હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠેલા બારોટજીના ચોપડામાં લખેલા એકેએક શબ્દ આજે પણ દેશની તમામ કોર્ટમાં માન્ય ગણાય છે. અનેક જટિલ કેસોમાં કોર્ટે તેના આધારે ચુકાદા આપ્યા છે.

વિસરાતી જતી પરંપરા

એક સમયે જ્યારે બારોટજી (વંશીગોર) તેમના યજમાનના ઘરે આગમન કરતા ત્યારે વાજતે-ગાજતે સામૈયા થતા અને તેમનું મોભી સન્માન થતું હતું. પરંતુ આજના છૈં અને મોબાઇલ યુગમાં યુવાનોને તેમના બારોટજીનું મહત્વ કે તેમના દાદા-પરદાદાનો ઇતિહાસ સાચવનાર વ્યક્તિ કોણ છે, તેની જાણ પણ નથી. વર્ષે આવતા બારોટજી હવે પાંચથી સાત વર્ષે આવે છે. આ કારણે સમાજની પેઢીઓને જીવંત રાખવાનું આ ભવ્ય કાર્ય હવે ઉપેક્ષિત થઈ રહ્યું છે.

રાજપૂત રાજવંશની વહીઓ ૩૦-૩૦ કિલોની છે

વહી એટલે લોકસંસ્કૃતિનો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકોનું બહુ ધ્યાન ખેચાયું નથી, આ વહીઓ આપણા ભવ્ય ભૂતકાળને જાણવાનું એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકારની હોય છે તેમાય રાજપૂત રાજવંશની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી ૩૦-૩૦ કિલો વજનવાળી રાજવહીઓ છે. આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે.

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago