સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગની ઘોર બેદરકારી (Negligence) સામે આવી છે. શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો (Street Lights) બંધ રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા વીજ સુવિધાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ (Budget) ફાળવવામાં આવે છે, તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે.
શહેરના હાર્દ સમાન અજરામર ટાવર ચોક, રતનપરને જોડતો સરદારસિંહ રાણા પુલ અને ટાંકી ચોક જેવા વિસ્તારો રાત્રિના સમયે અંધારપટ (Blackout) માં ગરકાવ રહે છે. આ અંધારાને લીધે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માત (Accident) નું જોખમ વધી ગયું છે. સ્થાનિક રહીશોએ અનેકવાર ફરિયાદ (Complaint) કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
તાજેતરમાં જ સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા (Municipal Corporation) નો દરજ્જો મળ્યો છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતામાં ઉગ્ર રોષ છે. લોકોની માંગ છે કે આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ (Solution) લાવવામાં આવે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…