Categories: Uncategorized

સુરેન્દ્રનગર એસ.ટી વિભાગની દિવાળી પર્વને લઈ તિજોરી છલકાણી..

સુરેન્દ્રનગર એસ.ટી વિભાગની દિવાળી પર્વને લઈ તિજોરી છલકાણી..

80 જેટલી એકસ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી..

સુરેન્દ્રનગર એસ.ટી ડેપોને 8 લાખ થી વધુની આવક થઈ..

દિવાળીના પર્વને લઈ પેસેન્જર નો એસટી બસ સ્ટેન્ડ હોય અથવા તો રેલવે સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ કરતી ખાનગી કંપનીઓ ની બસોના સંચાલન પર ઘસારો રહેતો હોય છે. ત્યારે દિવાળીના પર્વને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કારખાનાઓ તેમજ ખાનગી મોટી કંપનીઓ ફેક્ટરીઓમાં ફરજ બજાવતા મજૂરો પોતાના દેશ તરફ અને વતન તરફ પરત ફરતા હોય છે.

ત્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પાંચ દિવસ સુધી મુસાફરોનો ઘસારો રહેતો હોય છે આ સંદર્ભે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને ટ્રાન્સપોર્ટની સુવિધા સરળ બને તે પ્રકારના પ્રયાસો સુરેન્દ્રનગર એસટી વિભાગના તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.

અને દિવાળીના પર્વને લઈ સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અમદાવાદ ધંધુકા લીંબડી સુધી એસટી બસો દોડાવવામાં આવી હતી 80 જેટલી એક્સ્ટ્રા બસો નું સંચાલન કરી અને સુરેન્દ્રનગર એસટી ડેપોને 08 લાખથી વધુની આવક થઈ છે..

પાંચ દિવસ સુધી એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવ્યું હતું એસટી વિભાગના સ્ટાફમાં 160 થી વધુ કંડકટર ડ્રાઇવર પણ પોતાની ફરજ ઉપર એક્સ્ટ્રા બસો નું સંચાલન કરી અને લોકો સરળતાથી યાત્રા કરી શકે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેનું પરિણામ મુસાફરોને પણ ફાયદો થયો છે અને એસટી વિભાગની તિજોરી પણ છલકાઈ છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago