સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી પાણશીણા પોલીસ મથકની હદમાં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
લીંબડી તાલુકાના ખંભલાવ ગામનો વતની ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલા 4 વર્ષ પહેલાં વચગાળાના જામીન (Bail) પરથી મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો.
આ આરોપીની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ (Police) સહિત સમગ્ર ગુજરાતની પોલીસ કરી રહી હતી. તાજેતરમાં એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે સામખીયાળી નજીક આવેલી ગુરુકુળ હોટલ પાસેથી આરોપીની ધરપકડ (Arrest) કરી લીધી છે.
હાલમાં પોલીસ દ્વારા આરોપીને જેલ હવાલે (Custody) કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
