Surendranagar Ration Shopkeepers
Surendranagar Ration Shopkeepers | સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો છેલ્લા 6 મહિનાથી કમિશનની ચુકવણી ન થવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાની 500 થી વધુ દુકાનોના સંચાલકોએ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી અનાજ પહોંચાડતા આ દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે, કારણ કે લાંબા સમયથી તેમને મળવાપાત્ર કમિશન સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે.
દુકાનદારોનો આક્ષેપ છે કે કમિશન ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો પણ વણઉકેલ્યા છે. ઘણીવાર અનાજ માટે એડવાન્સ રૂપિયા ભર્યા હોવા છતાં માલ સમયસર મળતો નથી. આ ઉપરાંત, દુકાનદારો પાસે VCE ની કામગીરી કરાવવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય વળતર મળતું નથી. આ અન્યાય સામે વિરોધ નોંધાવતા પાટડી તાલુકાના એક દુકાનદારે તો રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી છે.
જો તાત્કાલિક ધોરણે 6 માસનું કમિશન ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અન્ય દુકાનદારો પણ સામૂહિક રાજીનામા આપે તેવી શક્યતા છે. પુરવઠા અધિકારીએ હાલ આ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…