Surendranagar Ration Shopkeepers
Surendranagar Ration Shopkeepers | સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો છેલ્લા 6 મહિનાથી કમિશનની ચુકવણી ન થવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાની 500 થી વધુ દુકાનોના સંચાલકોએ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી અનાજ પહોંચાડતા આ દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે, કારણ કે લાંબા સમયથી તેમને મળવાપાત્ર કમિશન સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે.
દુકાનદારોનો આક્ષેપ છે કે કમિશન ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો પણ વણઉકેલ્યા છે. ઘણીવાર અનાજ માટે એડવાન્સ રૂપિયા ભર્યા હોવા છતાં માલ સમયસર મળતો નથી. આ ઉપરાંત, દુકાનદારો પાસે VCE ની કામગીરી કરાવવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય વળતર મળતું નથી. આ અન્યાય સામે વિરોધ નોંધાવતા પાટડી તાલુકાના એક દુકાનદારે તો રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી છે.
જો તાત્કાલિક ધોરણે 6 માસનું કમિશન ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અન્ય દુકાનદારો પણ સામૂહિક રાજીનામા આપે તેવી શક્યતા છે. પુરવઠા અધિકારીએ હાલ આ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…