સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના રતનપર (Ratanpar) વિસ્તારમાં ભૂગર્ભ ગટર (Underground Drainage) ના તૂટેલા ઢાંકણાઓ હવે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને રતનપર માળોદ ચોકડી (Malod Chowkdi) રોડ ઉપર ગટરોના ઢાંકણાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
અકસ્માત (Accidents) ની ભીતિ એટલી વધારે છે કે કોઈ મોટું જાનહાનિનું સંકટ ન સર્જાય તે માટે સ્થાનિક લોકોએ જાતે જ અનોખો રસ્તો અપનાવ્યો છે. લોકોએ ખુલ્લી ગટરોમાં લાકડાઓ (Wooden Sticks) ઊભા કરી દીધા છે જેથી દૂરેથી આવતા વાહનચાલકોને જોખમનો ખ્યાલ આવે અને તેઓ સાવચેત થઈ જાય. સ્થાનિકોનું કહેવું છે કે રમતા-રમતા બાળકો આ ઊંડી ગટરોમાં ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા છે, છતાં તંત્ર હજુ સુધી જાગ્યું નથી.
નવીનતમ ઓનલાઇન ફરિયાદ (Online Complaint) સિસ્ટમ હોવા છતાં, આ વિસ્તારની સમસ્યાઓનું નિવારણ કરવામાં અધિકારીઓ (Officers) નિષ્ફળ રહ્યા હોય તેમ જણાય છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રતનપરના વેપારીઓ અને રહેવાસીઓની એક જ માંગ છે કે કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં આ તૂટેલા ઢાંકણાઓનું તાત્કાલિક રિપેરિંગ (Repairing) કરવામાં આવે અને રોડ-રસ્તાઓને સુરક્ષિત બનાવવામાં આવે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…