Surendranagar

સુરેન્દ્રનગર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર બસ રૂટ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) થી રાજકોટ (Rajkot) જતી મહત્ત્વની ગણાતી લખતર-રાજકોટ બસ સેવા એસ.ટી. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના બંધ કરી દેવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે મુસાફરી કરતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને આ નિર્ણયથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બસ દરરોજ સવારે 7:30 વાગ્યે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રાજકોટ જવા માટે ઉપડે છે.

અપ-ડાઉન (Up-down) કરતા મુસાફરો દ્વારા જ્યારે પૂછપરછ બારી પર આ રૂટ બંધ થવા અંગે અને ફરી ક્યારે શરૂ થશે તે અંગે તપાસ કરવામાં આવી, ત્યારે તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ મળ્યો નહોતો. તંત્રના ઉદ્ધત વલણને કારણે મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રૂટ બંધ થવાથી સવારના સમયે નોકરી પર જતા યુવાનો અને અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમયસર પહોંચવા માટે મુસાફરોને અન્ય ખાનગી વાહનોનો (Private Vehicles) સહારો લેવો પડે છે, જે આર્થિક રીતે ખર્ચાળ અને અસુવિધાજનક સાબિત થઈ રહ્યો છે.

સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ છે કે આ રૂટ પર દોડતી બસ તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે જેથી લોકોની હાલાકીનો અંત આવે. મુસાફરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો એસ.ટી. નિગમ (GSRTC) દ્વારા વહેલી તકે આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને આંદોલનનો માર્ગ અપનાવશે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago