સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અને તબીબી સેવાઓમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) દ્વારા તેમના CSR ફંડ અંતર્ગત સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલને ₹21.70 કરોડની માતબર સહાય ફાળવવામાં આવી છે. આ અંગેના મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) દિલ્હી ખાતે સંપન્ન થયા છે. આ પ્રોજેક્ટ હેઠળ હોસ્પિટલના કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા વિશ્વસ્તરીય અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે PFCના CMD પરમિંદર ચોપરા અને CSR કમિટીના ચેરમેન નરેશભાઈ કેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈ કેલાએ જણાવ્યું હતું કે, તેમનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે સુરેન્દ્રનગરના લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઘરઆંગણે જ મળે. હવે ગંભીર બીમારીઓ અને કેન્સરના નિદાન માટે સ્થાનિક દર્દીઓને અન્ય મેટ્રો શહેરોમાં જવાની જરૂર નહીં રહે. પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની પ્રેરણાથી આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગરના તબીબી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ (Milestone) સાબિત થશે, જે હજારો જરૂરિયાતમંદ પરિવારો માટે નવી આશાનું કિરણ લઈને આવશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…