સુરેન્દ્રનગરમાં પરમાર પરિવારનો ચતુર્થ ઇનામ વિતરણ સમારોહ: 48 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
સુરેન્દ્રનગર: શહેરના પરમાર પરિવાર દ્વારા શિક્ષણ અને સામાજિક સંગઠનને વેગ આપવાના ઉમદા હેતુથી ચોથા ઇનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સતવારા પરા સ્થિત જૂની ભોજન શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે ઝળકેલા રત્નોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધોરણ 5 થી 12 ના કુલ 48 તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં આધ્યાત્મિક અગ્રણી દયારામ બાપા અને ગોવિંદભાઇ ભુવાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શિલ્ડના દાતા પ્રવિણભાઇ પરમાર સહિત કાંતીભાઇ માસ્તર, મહાદેવભાઇ, ભગવાનભાઇ અને જગદિશભાઇ પરમાર જેવા અગ્રણીઓએ આર્થિક અને સામાજિક યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઇનામ વિતરણ બાદ આયોજિત સમૂહ ભોજનમાં પરમાર પરિવારના 3000 થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. આ સ્નેહમિલન (Get-together) કાર્યક્રમ દ્વારા પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષણ પ્રત્યે રુચિ વધારતા આ કાર્યક્રમની સમગ્ર સમાજમાં પ્રશંસા થઈ રહી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…