સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મનપાના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વઢવાણના ધારાસભ્યએ શહેરી વિકાસ, સ્વચ્છતા, રોડ-રસ્તાની કામગીરી અને ભૂગર્ભ ગટરની સાફ-સફાઈ સહિતના મહત્વના મૂદ્દાઓ રજૂ કર્યા હતા.
રજૂઆતોના સંદર્ભે મનપા કમિશનરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાના સિવિલ, સેનિટેશન, એસ્ટેટ અને ટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી. આ તકે બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવા પણ તાકીદ કરી હતી. બેઠકમાં મનપા કમિશનર ડો.નવનાથ ગ્વાહણે, ધારાસભ્ય જગદીશ મકવાણા, ડેપ્યુટી કમિશનર, એન્જિનિયર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…