સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મનપાના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વઢવાણના ધારાસભ્યએ શહેરી વિકાસ, સ્વચ્છતા, રોડ-રસ્તાની કામગીરી અને ભૂગર્ભ ગટરની સાફ-સફાઈ સહિતના મહત્વના મૂદ્દાઓ રજૂ કર્યા હતા.
રજૂઆતોના સંદર્ભે મનપા કમિશનરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાના સિવિલ, સેનિટેશન, એસ્ટેટ અને ટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી. આ તકે બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવા પણ તાકીદ કરી હતી. બેઠકમાં મનપા કમિશનર ડો.નવનાથ ગ્વાહણે, ધારાસભ્ય જગદીશ મકવાણા, ડેપ્યુટી કમિશનર, એન્જિનિયર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…