Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં 31,814 વિદ્યાર્થીઓએે પરીક્ષા આપી, 394 છાત્રો ગેરહાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો (Board Exams) પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના 127 પરીક્ષા કેન્દ્રો (Exam Centers) પર પ્રથમ દિવસે માતૃભાષા ગુજરાતીનું (Gujarati) પ્રશ્નપત્ર અત્યંત સરળ રહેતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જિલ્લામાં કુલ નોંધાયેલા 32,208 વિદ્યાર્થીઓમાંથી 31,814 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 394 વિદ્યાર્થીઓ ગેરહાજર (Absent) રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત (Stress-free) બન્યા હતા. પ્રશ્નપત્રમાં ‘स्वદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો’, ‘મારો યાદગાર પ્રવાસ’ અને ‘હું એ શિક્ષકને ભૂલી ન શક્યો’ જેવા સરળ નિબંધો (Essays) પૂછાતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પેપર લખ્યું હતું. સમગ્ર જિલ્લામાં પ્રથમ દિવસે ગેરરીતિનો (Cheating Case) એક પણ કેસ નોંધાયો નથી, જે તંત્રની સફળતા દર્શાવે છે. વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલમાં કલેક્ટર, એસ.પી.એ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી પ્રવેશ અપાવ્યો

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિાક અને એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓને ફુલ આપી તેમજ મીઠું મોઢું કરાવી સ્વાગત કર્યું હતું અને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે કલેક્ટર તેમજ એસ.પી. દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા

દાઘોડીયાની શાળામાં સૌ પ્રથમવાર ધો.૧૦નું કેન્દ્ર ફાળવાયું

મુળી તાલુકાના દાઘોડીયા સરકારી માધ્યમિક શાળામાં ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત એસએસસી બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવતા પ્રથમ દિવસે પરીક્ષાનો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પ્રારંભ થયો હતો. આ તકે શાળાના આચાર્ય તથા સ્થળ સંચાલક સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી તેમજ ગુલાબનું પુષ્પ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરી ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

લીંબડીમાં ધો.૧૦ના વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયો

લીંબડી જી.કે. વિધલાયમાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી ધામકને મુંઝવણ અને છાતીમાં દુખાવો ઉપડતાં આરોગ્ય ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ તાત્કાલિક સારવાર માટે૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં પાયલોટ અગરસંગભાઈ અને ઈએમટી નિશાબેન દ્વારા વિદ્યાર્થીને સરકારી હોસ્પિટલ ખાતે ખસવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર મળતાં તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

user 2

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago