Surendranagar

સુરેન્દ્રનગર વહીવટી તંત્ર ફરી વિવાદમાં: PM મોદીના કાર્યક્રમમાં ભીડ કરવા રેશનિંગ દુકાનદારોને અપાયો ટાર્ગેટ

સુરેન્દ્રનગર (Surendranagar) વહીવટી તંત્ર ફરી એકવાર વિવાદના (Controversy) વમળમાં ફસાયું છે. આગામી શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાણંદ (Sanand) ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં મોટી જનમેદની એકત્રિત કરવા માટે પ્રશાસન વિભાગ (Administration) દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના સસ્તા અનાજના (Fair Price Shop) દુકાનદારોને ફરજિયાતપણે માણસો લાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા (Social Media) ગ્રુપમાં વાયરલ થયેલા મેસેજ (Message) મુજબ, દરેક સસ્તા અનાજના દુકાનદાર દીઠ ઓછામાં ઓછા 06 લોકોને કાર્યક્રમમાં હાજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા દુકાનદારોને તાત્કાલિક અસરથી લોકોનું લિસ્ટ (List) તૈયાર કરી જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં અનુભાઈ ગઢવી, ઇરફાનભાઇ જિંદાણી અને પ્રીતિબેન જેવા અનેક દુકાનદારોને ચોક્કસ સંખ્યામાં ગ્રાહકોને (Customers) સાથે લાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા માટે સરકારી તંત્ર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોનો ઉપયોગ કરવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષ (Anger) જોવા મળી રહ્યો છે. વારંવાર અન્ય જિલ્લાઓમાં યોજાતા કાર્યક્રમો માટે આ પ્રકારે જવાબદારીઓ થોપી દેવામાં આવતા સામાન્ય કામગીરી પર પણ અસર પડી રહી છે. વહીવટી તંત્રના આ પ્રકારના આદેશોથી હવે સ્થાનિક સ્તરે ચર્ચાઓ જાગી છે કે શું સરકારી યોજનાઓના વિતરણકર્તાઓનો ઉપયોગ રાજકીય ભીડ ભેગી કરવા માટે કરવો તે કેટલું યોગ્ય છે?

user 2

Recent Posts

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…

1 day ago

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…

1 day ago

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

2 days ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

2 days ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

2 days ago