Thangadh

થાનગઢઃ નળખંભા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર પ્રાંત અધિકારીના દરોડા

ચાર કુવાઓ ઝડપી પાડી અને 16.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો..

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ તેના ઉપર લગામ લગાવવા માટે પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામેગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડાપાડવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડી અને ચાર જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડવામાં આવ્યા છે

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના `નળખંભા ગામના સર્વે નંબર ૧૦૪, ૧૫૧ વાળી જમીનમાં` આકસ્મિક તપાસણી કરતા તદન ગેરકાયદેસર કોલસાના `૪ (ચાર) કુવાઓ` ઉ૫ર કોલસાનું ખનન,સંગ્રહ, વહન, વેચાણ કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવતા નીચે મુજબ ના વાહનો ઝડપી પાડવામાં આવીયા છે.

અને (૧) ૨ (બે) ટ્રેકટર (૨) ૧ (એક) જનરેટર મશીન (૩) ૨ (બે) કંમ્પ્રેસર મશીન (૪) ૧ (એક) બાઇક (૫) ૩૦ નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક (૬) ૫૦૦ મીટર ઇલેકટ્રીક વાયર (૭) ૩૦૦ મીટર ઇલેકટ્રીક કેબલ (૮) ૩ (ત્રણ) ચરખી મળી કુલ રૂ.૧૬,૭૧,૦૦૦/- ( અંકે રૂપિયા સોળ લાખ એકોતેર હજાર પૂરા ) નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે..

આ સ્થળ ઉ૫ર હરેશભાઇ લઘાભાઇ બારૈયા, જગાભાઇ કાળુભાઇ બાવળીયા, તેજાભાઇ સવશીભાઇ નાઓ દ્વારા સદર કોલસાના કુવાઓ ખોદવામાં આવતા હતા તે તમામ ઇસમો તેમજ વાહન માલીકો સામે કાર્યવાહી તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામે વધુ તપાસ ચાલુ છે જે જે વ્યક્તિઓના નામો સામે આવશે તેઓની વિરુદ્ધ ઉકત કાયદા મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે

ખનીજ ચોરી પર દરોડા બાદ વઘુમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

સ્થળ ઉ૫ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર ઇસમોની વિગત –

(૧) ઘીરુભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૨) રામાભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૩) વિહાભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૪) ગભરુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૫) મનુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૬) દિપભાઇ શનીભાઇ દરબાર રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૭) હરેશભાઇ લઘાભાઇ બારૈયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી

(૮) જગાભાઇ કાળુભાઇ બાવળીયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago