Chotila : ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાં નાયબ કલેક્ટરે ડમી ગ્રાહકો મોકલી દેહવ્યપારનો પર્દાફાશ કર્યો છે. હોટલમાં વ્યક્તિ દીઠ રૂ.૧ હજાર વસૂલાતા હતા. તંત્રની ટીમે હોટલના માલિકોને અનૈતિક પ્રવૃત્તિ બંધ કરવા તેમજ સીલ મારવા નોટિસ ફટકારી છે.
યાત્રાદામ ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ અમુક હોટલોમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ થતી હોવાની ફરિયાદો મળતા ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ટીમ સાથે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઈવે પર આવેલ અલગ અલગ હોટલોમાં ટીમ તેમજ ગ્રાહકોને મોકલી તપાસ કરતા ચોટીલા પાસે આવેલ સીટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃતિ ચાલતી હોવાનું માલુમ પડયું હતું.
ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ દીઠ રૂ.૧૦૦૦ વસૂલવામાં આવતા હોવાનું પણ ખુલ્યું હતું. આથી સીટી પેલેસ હોટલોના માલિક દેવાભાઇ ભીખાભાઇ આલ અને બાલાજી હોટલના માલિક ગભરુભાઇ ભોજભાઇ કાઠી દરબાર (બંને રહે. ચોટીલા) સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને હોટલ માલિકોને હોટલમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃતિ બંધ કરવા અને હોટલોને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા અંગેની કારણદર્શક નોટિસ ફટકારી છે. જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા હાઈવે પર આવેલ હોટલોમાં અનૈતિક પ્રવૃતિઓ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવતા અન્ય હોટલ માલિકોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…