Dasada-Patdi

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ “મંગલ મહોત્સવ” નો ભક્તિસભર માહોલમાં આરંભ થયો છે. મંગળ ચોઘડિયામાં શરૂ થયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. ઉત્સવના પ્રારંભે શ્રી વર્ણીપ્રભુનો 500 લિટર દૂધ, વિવિધ ઔષધિઓ, ફળોના રસ, ચંદન અને સુગંધિત રંગો વડે દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મંદિરમાં સવારની શણગાર આરતી બાદ ભગવાન સમક્ષ 1500 કિલો શાકભાજી અને તાજા ફળોની મનોહર હાટડી (અન્નકૂટ) ભરવામાં આવી હતી. મુખ્ય મંદિરમાં જનમંગલ સ્ત્રોતના ગાન સાથે પૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત, મંદિરના પ્રાંગણમાં શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત “બીજ મંત્ર યાગ” અને શ્રી શિક્ષાપત્રી “જળાભિષેક યાગ”નો પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થયો હતો. યાગની પૂર્ણાહુતિ બાદ સંતો અને ભક્તો દ્વારા આહુતિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે એક ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી સહિતના સંતો અને હજારો હરિભક્તો જોડાયા હતા. બેન્ડવાજા, ઢોલ-નગારા અને છત્ર-ચામર સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર પાટડી પંથક ભક્તિમય બની ગયો હતો. અંતમાં મહા નિરાજન આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

surendranagarupdate1@gmail.com

Recent Posts

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago

લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત: જામનગરના યુવકનું મોત

જામનગરથી વડોદરા જઈ રહેલા બે મિત્રોની કારને લીંબડી-અમદાવાદ હાઈવે પર ભલગામડા ચોકડી (Bhalgamda Chowkdi) પાસે…

3 days ago