Categories: Uncategorized

સુરેન્દ્રનગરના દુધરેજ પુલ ઉપરથી જીવના જોખમે યાત્રીકો પસાર થવા મજબૂર.

પુલનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ બે કિલોમીટરનો ધક્કો ન ખાવા માટે યાત્રિકો પુલ ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે..

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાની કેનાલ ઉપર નો પુલ છેલ્લા ચાર મહિનાથી બંધ કરવામાં આવ્યો છે હાલમાં તેનું સ્મારકામ ચાલુ છે તંત્ર દ્વારા એક કરોડથી વધુના ખર્ચે આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવી રહી છે. અને હાલની પરિસ્થિતિમાં 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે ટૂંક સમયમાં પુલ ખુલ્લો મુકવાની તૈયારી પણ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે.

પરંતુ પુલ બંધ કરવામાં આવતા બનાવવામાં આવેલું દ્રાઇવર્ઝન ખુબ ખરાબ અને દયનીય હાલતમાં છે અને આ ડ્રાઇવર્ઝન 2 કિમિ સુધીનું છે જેના ઉપર ખાડાઓ અને કાચા માર્ગ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ને આ સંદર્ભે વારંવાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ રસ્તામાં સુધારો કરવામાં નથી આવ્યો..

ત્યારે ફૂલ શરૂ ન થતા હાલમાં જીવના જોખમે પુલનું કામ ચાલી રહ્યું છે તે છતાં પણ યાત્રિકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે 2 કિમિ નું ડ્રાઈવર્ઝન કાપવા કરતા વધુ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તંત્ર દ્વારા આ પુલ બનાવી અને ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવે તે જરૂરી છે મોટી કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ સવાલ છે..

પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે અને જીવના જોખમે પસાર થતાં યાત્રિકોને અટકાવવામાં આવે તે જરૂરી છે કારણ કે નીચેથી સૌરાષ્ટ્ર ભરમાં પીવાના પાણી પૂરું પાડતી નર્મદાની કેનાલ પસાર થાય છે જો દુર્ઘટના સર્જાશે તો અનેક લોકોના જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ છે તો તંત્ર દ્વારા પણ આ મુદ્દે નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago