સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી લીંબડી, બોટાદ, વલભીપુર અને મોરબી બ્રાંચની નર્મદા કેનાલો (Narmada Canals) આગામી 1લી માર્ચથી રિપેરિંગના (Repairing) બહાને બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. નર્મદા વિભાગે ખેડૂતોને ઉનાળુ વાવેતર (Summer Sowing) ન કરવાની કડક સૂચના આપી છે, જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં સતત બીજા વર્ષે ઉનાળુ પાક ગુમાવવાની ભીતિ સર્જાઈ છે.
વઢવાણ તાલુકાના ખેડૂતોએ આ નિર્ણય સામે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, કેનાલો ભલે બંધ કરવામાં આવે, પરંતુ દર વર્ષે રિપેરિંગના નામે જે સરકારી નાણાંનો વ્યય (Wastage of Money) થાય છે તેનો યોગ્ય હિસાબ અને ગુણવત્તા (Quality) જળવાવી જોઈએ. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે કેનાલ રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિણામ શૂન્ય છે.
જ્યારે સમારકામ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે તરત જ રિપેરિંગ કરેલા સ્થળેથી પોપડા (Flaking) ઉખડી જાય છે અને કેનાલો ફરી જર્જરિત થઈ જાય છે. આ નબળા કામને કારણે કેનાલો તૂટવાથી (Canal Breach) ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ઊભા પાકને મોટાપાયે નુકસાન (Crop Damage) પહોંચે છે. વઢવાણના ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે આ વખતે કોન્ટ્રાક્ટ એજન્સી (Contract Agency) દ્વારા માત્ર કાગળ પર નહીં પણ જમીની સ્તરે ગુણવત્તાયુક્ત કામ થાય તેની દેખરેખ અધિકારીઓ રાખે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…