સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી લીંબડી, બોટાદ, વલભીપુર અને મોરબી બ્રાંચની નર્મદા કેનાલો (Narmada Canals) આગામી 1લી માર્ચથી રિપેરિંગના (Repairing) બહાને બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. નર્મદા વિભાગે ખેડૂતોને ઉનાળુ વાવેતર (Summer Sowing) ન કરવાની કડક સૂચના આપી છે, જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં સતત બીજા વર્ષે ઉનાળુ પાક ગુમાવવાની ભીતિ સર્જાઈ છે.
વઢવાણ તાલુકાના ખેડૂતોએ આ નિર્ણય સામે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, કેનાલો ભલે બંધ કરવામાં આવે, પરંતુ દર વર્ષે રિપેરિંગના નામે જે સરકારી નાણાંનો વ્યય (Wastage of Money) થાય છે તેનો યોગ્ય હિસાબ અને ગુણવત્તા (Quality) જળવાવી જોઈએ. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે કેનાલ રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિણામ શૂન્ય છે.
જ્યારે સમારકામ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે તરત જ રિપેરિંગ કરેલા સ્થળેથી પોપડા (Flaking) ઉખડી જાય છે અને કેનાલો ફરી જર્જરિત થઈ જાય છે. આ નબળા કામને કારણે કેનાલો તૂટવાથી (Canal Breach) ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ઊભા પાકને મોટાપાયે નુકસાન (Crop Damage) પહોંચે છે. વઢવાણના ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે આ વખતે કોન્ટ્રાક્ટ એજન્સી (Contract Agency) દ્વારા માત્ર કાગળ પર નહીં પણ જમીની સ્તરે ગુણવત્તાયુક્ત કામ થાય તેની દેખરેખ અધિકારીઓ રાખે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…