Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં સરકારી એસટી બસોએ જ નિયમો નેવે મુક્યા

સુરેન્દ્રનગર થી કોટડા જતી એસટી બસમાં મૂળ ક્ષમતા કરતા ડબલ પેસેન્જર ભરવામાં આવ્યા..

સાંજના સમયે કોટડા જવા માટે એક માત્ર એસટી બસ હોવાના કારણે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર..

સલામત સવારી એસટી બસ હમારી ના સ્લોગન એસટી બસો ઉપર લગાવવામાં આવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં એસટી બસો સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે ખાસ કરીને પેસેન્જરની સંખ્યામાં બિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેની સામે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી બસો એસટી નિગમ દ્વારા સુરેન્દ્રનગર એસટી ડેપોને આપવામાં આવી રહી નથી જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં દિવસભરમાં એકમાત્ર બસ જતી હોય છે અને જિલ્લાના આને કેવા ગામડાઓ છે જ્યાં આખો દિવસ એક પણ એસટી બસ નથી જઈ રહી.

ત્યારે સાંજના સમયે કોટડા ગામ તરફ જતી એકમાત્ર એસટી બસમાં મૂળ કેપેસિટી થી ડબલ પેસેન્જરોને ભરવામાં આવ્યા છે સાંજના સમયે એકમાત્ર બસ કોટડા તરફ જતી હોવાના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ આ બસમાં બેસી અને મુસાફરી કરતા હોય છે ત્યારે એક બસમાં અંદાજિત 100 થી વધુ મુસાફરોને ભરવામાં આવ્યા છે ઓવરલોડ એસટી બસ જ ચાલી રહી છે.

એસટી બસ ચલાવતા ડ્રાઇવરોની કેબિનમાં પણ મજબૂરીના પગલે પેસેન્જરને બેસાડવામાં આવી રહ્યા છે એકમાત્ર કોટડા તરફ જતી એસટી બસ સાંજના સમયે હોવાના કારણે ઘસારો વધુ પડતો જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે નહીંતર મોટો અકસ્માત સર્જાશે અને અનેક પેસેન્જરને જાનહાનિ થશે અને મોટી દુર્ઘટના સર્જાવાના પણ એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ પેસેન્જરની કેપેસિટી કરતા વધુ પેસેન્જર એસટી બસોમાં બેસાડવામાં આવતા સરકારી નિયમો એસટી વિભાગ નિયમો નેવે મુક્તા હોય તેવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાટ સર્જાઈ જવા પામ્યો છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago