Categories: Uncategorized

હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો સેવા યજ્ઞ: 8 વર્ષમાં ₹19.23 કરોડનું દાન,

હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો સેવાયજ્ઞ: ૮ વર્ષમાં ₹ ૧૯.૨૩ કરોડનું દાન,

સરકારી શાળાઓ, ૯ સાર્વજનિક પુસ્તકાલયો, ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્ય સેવા કેન્દ્ર શરુ,કરાયુ

સુરેન્દ્રનગર: જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક અને પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીએ પોતાના ૫૮મા જન્મદિવસે, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ, છેલ્લાં આઠ વર્ષના સેવાયજ્ઞનું સરવૈયું રજૂ કર્યું છે. ૨૦૧૭માં ૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારથી ડૉ. ત્રિવેદી પોતાના દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની ૧૦૦% આવક વહીવટી ખર્ચ લીધા વિના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરી રહ્યા છે.

આજરોજ પ્રગટ કરાયેલા ‘Social Audit of Social Service’ પુસ્તક મુજબ, ડૉ. ત્રિવેદીનું કુલ દાન ₹ ૧૯,૨૩,૫૭,૬૩૪ કરોડને પાર પહોંચ્યું છે. તેમની આ અદ્ભુત પારદર્શિતાથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘મન કી બાત’ના એપિસોડ નંબર ૧૦૮માં તેમની સેવાઓની વિગતવાર પ્રશંસા કરી હતી.

આ ₹ ૧૯.૨૩ કરોડના દાનમાંથી તેમણે અત્યાર સુધીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ૧૩ સરકારી શાળાઓ, ૯ સાર્વજનિક પુસ્તકાલયો, ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ ૨૫ જેટલી ઇમારતોનું નિર્માણ કરીને સમાજને અર્પણ કર્યું છે. તદુપરાંત, અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ સહાય પૂરી પાડી છે.

વઢવાણ ખાતેના તેમના જન્મસ્થળ શ્રીમતી સદગુણાબહેન સી. યુ. શાહ પ્રસુતિગૃહમાં તેમના 58 માં જન્મદિવસ નિમિત્તે ‘Social Audit of Social Service’ પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલાવાડ રાજપૂત સમાજના ૫૮ યુવક-યુવતીઓએ સૌપ્રથમ રક્તદાન કર્યું હતું. આ સેવાયજ્ઞને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. પી.સી. શાહ અને ગોવિંદભાઈ વરમોરા સહિતના દાતાઓએ કુલ ₹ ૧,૬૬,૦૦૦નું દાન કર્યું હતું, જે ડૉ. ત્રિવેદીએ નિર્માણાધીન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કર્યું હતું. ડૉ. જગદીશ ત્રિવેદી ત્રણ વખત પીએચડીની ડિગ્રી ધરાવે છે અને રાષ્ટ્રપતિ તરફથી તેમને ‘પદ્મશ્રી’ સહિતના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago