સુરેન્દ્રનગર (Surendranagar): ગુજરાત બાર કાઉન્સિલની (Bar Council of Gujarat) 2026ની ચૂંટણીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં ઉમેદવાર દિપેન દવે (ક્રમ નંબર 22) ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. સુરેન્દ્રનગરના વતની હોવાથી તેમણે સ્થાનિક વકીલો સાથે ખાસ બેઠક યોજી હતી, જેમાં તેમણે પોતાના 14 વર્ષના સેવાકાર્યો અને ભવિષ્યના વિઝન રજૂ કર્યા હતા.
પારદર્શિતા અને નિઃસ્વાર્થ સેવાનો રેકોર્ડ દિપેન દવે 2012 થી 2026 સુધી બાર કાઉન્સિલમાં સભ્ય, ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ (Chairman) તરીકે કાર્યરત રહ્યા છે. તેમની કામગીરીની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
ઝીરો ભથ્થું: તેમણે 1,100 થી વધુ બેઠકોમાં હાજરી આપી છે, પરંતુ ક્યારેય ભાડા-ભથ્થા (TA/DA) તરીકે એકપણ રૂપિયો લીધો નથી.
પારદર્શિતા: અધ્યક્ષ તરીકે તેમણે બાર કાઉન્સિલના ઓડિટેડ એકાઉન્ટ્સ (Audited Accounts) વેબસાઇટ પર મૂકી પારદર્શિતાની નવી મિસાલ કાયમ કરી છે.
વકીલ વેલફેર માટેના ઐતિહાસિક નિર્ણયો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા માટે તેમણે અનેક મહત્વના પગલાં ભર્યા છે. (1) મૃત્યુ સહાયની રકમ 1,50,000 થી વધારીને 5,00,000 રૂપિયા કરવામાં આવી. (2) માંદગી સહાય રકમ 30,000 થી વધારીને 1,50,000 રૂપિયા સુધી પહોંચાડવામાં આવી છે. (3) છેલ્લા 7 વર્ષમાં રાજ્ય સરકાર પાસેથી વકીલોના કલ્યાણ માટે 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવામાં સફળતા મેળવી છે.
ભ્રષ્ટાચાર સામે લડત અને ડિજિટલ પરિવર્તન દિપેન દવેએ વકીલોને કચેરીઓમાં પડતી હાલાકી દૂર કરવા કડક વલણ અપનાવ્યું છે. તેમના પ્રયાસોથી એક એડિશનલ કલેક્ટર સસ્પેન્ડ થયા છે અને 3 સબ-રજિસ્ટ્રારો સામે ACB ની ફરિયાદ દાખલ થઈ છે. ટેકનોલોજી ક્ષેત્રે તેમણે બાર કાઉન્સિલની પોતાની મોબાઇલ એપ્લિકેશન અને GLH ઇ-લાઇબ્રેરી (E-Library) શરૂ કરાવી વકીલોને આધુનિક બનાવ્યા છે.
યુવા વકીલોના માર્ગદર્શક તેમણે 14,000 થી વધુ જુનિયર વકીલોની શપથવિધિ અને AIBE પરીક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આગામી 6 માર્ચ, 2026 ના રોજ યોજાનારી ચૂંટણીમાં તેમણે બેલેટ નંબર 22 (Ballot No. 22) પર પ્રથમ પસંદગીનો મત (Preference No. 1) આપવા વકીલ આલમને અપીલ કરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…